‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

|

Dec 11, 2021 | 7:39 PM

Prashant Kishore: જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત
Prashant Kishore and Rahul Gandhi (File Photo)

Follow us on

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) ફરી એકવાર કોંગ્રેસ (Congress) પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, કોંગ્રેસમાં લોકશાહી નથી. જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કરતા કહ્યું કે, તમે ક્યારેય પણ ટ્વિટ અને કેન્ડલ માર્ચ દ્વારા BJP ને હરાવી શકતા નથી. ભાજપ ખૂબ જ મજબૂત બની ગયું છે. મોદીના નેતૃત્વમાં ભાજપ (BJP) ને હરાવવા માટે તમારે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે 1984 પછી કોંગ્રેસ એક પણ લોકસભા ચૂંટણી પોતાના દમ પર જીતી શકી નથી. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસને 90 ટકા ચૂંટણીમાં કારમી હાર મળી છે. કોંગ્રેસ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ.

આ પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસને લીધી હતી આંટીમાં
પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું, “કોંગ્રેસ મજબૂત વિપક્ષ માટે જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90% ચૂંટણીઓ હારી ગઈ છે. વિરોધ પક્ષના નેતૃત્વને લોકશાહી ઢબે નિર્ણય લેવા દો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

PM મોદી વિશે પ્રશાંત કિશોરે કહ્યું મોટી વાત
તેમણે પીએમ મોદી (PM Narendra Modi)ના વખાણ કરતા કહ્યું કે તેઓ બધા લોકોની વાત સાંભળે છે. આ તેની સૌથી મોટી તાકાત છે. તેઓ જાણે છે કે લોકોને આખરે શું જોઈએ છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી દેશનું રાજકારણ ભાજપની આસપાસ જ ફરશે.

 

આ પણ વાંચો: Katrina Vicky Wedding : કેટ-વિકીના લગ્ન સોશિયલ મીડિયામાં હીટ, 1 દિવસમાં ફોટો પર આવી આટલી લાઇક્સ

આ પણ વાંચો: ડિનર ડેટ પર વ્યક્તિના દાંત નીકળી આવ્યા બહાર, મહિલાએ શેર કર્યો તેનો વિચિત્ર ડેટિંગ એક્સપિરિયન્સ

Next Article