આજનો ઈતિહાસ, 14 નવેમ્બર : આજે પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ, કેમ આજે જ ઉજવાય છે બાળ દિવસ, જાણો

Today History 14 November : દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. 1964 માં, સત્તાવાર રીતે આજના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આજનો ઈતિહાસ, 14 નવેમ્બર : આજે પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ, કેમ આજે જ ઉજવાય છે બાળ દિવસ, જાણો
Pandit Jawaharlal Nehru (file photo)
| Edited By: | Updated on: Nov 14, 2021 | 8:15 AM

History of 14 November: 14 નવેમ્બરની તારીખ, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના જન્મદિવસ તરીકે ઈતિહાસમાં નોંધાયેલી છે. આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં 14 નવેમ્બર, 1889ના રોજ જન્મેલા જવાહરલાલ નેહરુને બાળકો ખૂબ જ પસંદ હતા અને બાળકો તેમને ચાચા નેહરુ કહીને બોલાવતા હતા. ભારતમાં, 1964 પહેલા 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવતો હતો, પરંતુ જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી, તેમના જન્મદિવસ એટલે કે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઘણા દેશોમાં 1 જૂનના રોજ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક દેશો સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા અનુસાર 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવે છે.

જુદા જુદા વર્ષમાં 14મી નવેમ્બરની તારીખે ઈતિહાસમાં નોંધાયેલી અન્ય મુખ્ય ઘટનાઓ:-

1681: ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અલગ રજવાડા તરીકે બંગાળની રચનાની જાહેરાત કરી.
1889: સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ.
1922: બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) એ બ્રિટનમાં રેડિયો સેવા શરૂ કરી.
1935: શાહ હુસૈનનો જન્મ, જેમણે આધુનિક જોર્ડનના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેણે 1953 થી 1999 સુધી જોર્ડન પર શાસન કર્યું.
1948: પ્રિન્સ ચાર્લ્સનો જન્મ. તે રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપનો સૌથી મોટો પુત્ર છે.
1955: કર્મચારીઓના રાજ્ય વીમા નિગમનું ઉદ્ઘાટન.
1964: આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાની ભારતમાં સત્તાવાર જાહેરાત.
1969: Apollo-12 લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ત્રણ અવકાશયાત્રીઓને લઈને આકાશની અનંત ઊંડાણોને પાર કરી ચંદ્ર પર પહોચ્યુ.
1973: રાણી એલિઝાબેથની એકમાત્ર પુત્રી પ્રિન્સેસ એન, આર્મીમાં લેફ્ટનન્ટ માર્ક ફિલિપ્સ સાથે લગ્ન કર્યા. રાજવી પરિવારના સભ્ય માટે સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાનો આ એક દુર્લભ પ્રસંગ હતો.
1991: અમેરિકાએ લોકરબી હુમલા માટે લિબિયાના બે ગુપ્તચર અધિકારીઓને દોષી ઠેરવ્યા અને અમેરિકાને બન્ને સોંપી દેવામાં આવે તેવી માંગ કરી.
2006: ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન આતંકવાદ વિરોધી મિકેનિઝમ વિકસાવવા માટે સંમત થયા.
2008: ચંદ્રની સપાટી પર ઉતર્યુ મુન ઈમ્પેક્ટ પ્રોબ (Moon Impact Probe ).

આ પણ વાંચોઃ

સ્વામી અપૂર્વ મુનિએ પાટીદારોને આપી આ સલાહ, કહ્યું – સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા

આ પણ વાંચોઃ

Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર રાવે પત્રલેખાને ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ, બંનેનો આ રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

Published On - 7:54 am, Sun, 14 November 21