
Delhi: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં (New Parliament House) 7 નોન એનડીએ પાર્ટીઓ સહિત 25 પાર્ટીઓ ભાગ લેશે. લોક જનશક્તિ પાર્ટી, BSP, અકાલી દળ, જેડીએસ, ટીડીપી, એલજેપી, વાઈએસઆરસીપી અને બીજેડી સહિત 25 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થાય તેવી શક્યતા છે. સૂત્રોએ આ જાણકારી આપી. આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા પણ હાજરી આપશે. આ સાથે એનડીએ ઘટકના 18 પક્ષો ઉદ્ઘાટનનો ભાગ બનશે.
આ કાર્યક્રમમાં ભાજપ, શિવસેના, નેશનલ પીપલ્સ પાર્ટી (મેઘાલય), નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટ, જન-નાયક પાર્ટી, AIDMK, AJSU, RPI, મિઝો નેશનલ ફ્રન્ટ, તમિલ મનીલા કોંગ્રેસ, ITFT (ત્રિપુરા), બોડો પીપલ્સ પાર્ટી, પટ્ટલી મક્કલ કાચી, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, અપના દળ અને આસામ ગણ પરિષદ ઉદ્ઘાટનનો ભાગ બનશે.
તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં ન આવે. કોંગ્રેસે તેને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે. માયાવતી સિવાય સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવે પણ કેન્દ્રનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે.
આ દરમિયાન નવા સંસદભવનના ઉદ્ઘાટનનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ કયા સમયે યોજાશે અને સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમ કેટલા કલાક ચાલશે. પરંતુ ઉદ્ઘાટનનું સત્તાવાર શિડ્યુલ આવવાનું બાકી છે.
આ પણ વાંચો : New Parliament Building: નવી સંસદની સુરક્ષા માટે કેવી હશે વ્યવસ્થા? વાંચો આ અહેવાલ