દેશમાં પણ છુપાયેલા છે ઘણા જવાહિરી, તેમને ખત્મ કરવા પડશે: ભાજપ સાંસદ રવિ કિશન

|

Aug 02, 2022 | 4:54 PM

ભાજપ સાંસદે કહ્યું કે એક જ જવાહિરીને મારવાથી આતંકવાદ ખતમ થતો નથી. જો એક આતંકવાદી માર્યો જાય છે તો આ લોકો મોટી સંખ્યામાં વધુ આતંકવાદીઓને તૈયાર કરે છે.

દેશમાં પણ છુપાયેલા છે ઘણા જવાહિરી, તેમને ખત્મ કરવા પડશે: ભાજપ સાંસદ રવિ કિશન
BJP MP Ravi Kishan
Image Credit source: PTI

Follow us on

ભાજપના સાંસદ રવિ કિશને (Ravi Kishan) અફઘાનિસ્તાનના કાબુલમાં અમેરિકા (America) દ્વારા માર્યા ગયેલા આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી પર ખુશી વ્યક્ત કરી છે. તેણે મંગળવારે કહ્યું છે કે અમે આતંકવાદી અલ-જવાહિરીની (Ayman Al Zawahiri) હત્યા સાથે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પરંતુ ભારતમાં પણ આવા ઘણા અલ-જવાહિરી છુપાયેલા છે. આ સાથે ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે ઘણા જવાહિરી દેશના કાશ્મીર અને આસામ જેવા કેટલાક વિસ્તારોમાં સક્રિય છે. બધા જવાહિરીને ખત્મ કરવા પડશે.

ભાજપ સાંસદે કહ્યું કે એક જ જવાહિરીને મારવાથી આતંકવાદ ખતમ થતો નથી. જો એક આતંકવાદી માર્યો જાય છે તો આ લોકો મોટી સંખ્યામાં વધુ આતંકવાદીઓને તૈયાર કરે છે. તે જ સમયે અમેરિકી ડ્રોન હુમલામાં અયમાન અલ-ઝવાહિરીના માર્યા ગયા પછી આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કે છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો કે અલ-કાયદાનો નેતા કાબુલના એક સેફ હાઉસમાં છે.

જવાહિરી 9/11ના હુમલા માટે જવાબદાર હતો

કાબુલમાં આ ઘર પર અમેરિકી ડ્રોન હુમલામાં જવાહિરી માર્યો ગયો હતો. સાથે જ એ વાત પણ સામે આવી છે કે આ ઘર તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના નજીકનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં તેનો પુત્ર અને જમાઈ પણ માર્યા ગયા છે. અલ-ઝવાહિરી અને ઓસામા બિન લાદેને અમેરિકા પર 9/11ના હુમલાની યોજના બનાવી હતી. ઓસામા બિન-લાદેનને અમેરિકાએ 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં એક ઓપરેશનમાં માર્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ ઝવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો. યુએસ પ્રમુખ જો બાઈડેને સોમવારે જાહેરાત કરી હતી કે કાબુલમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) દ્વારા શનિવારે સાંજે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું. જવાહિરી તેના પરિવાર સાથે કાબુલના એક ઘરમાં છુપાયેલો હતો. હક્કાની નેટવર્કની રચના જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી, તે એક આતંકવાદી સંગઠન છે.

જલાલુદ્દીન હક્કાની સોવિયત સેના સામેના યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં બળવાખોર કમાન્ડર તરીકે ઉભરી આવ્યો હતો. સમાચાર મુજબ અમેરિકા પાસે ઘણી ગુપ્ત માહિતી છે જે પુષ્ટિ કરે છે કે જવાહિરી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. કહેવાય છે કે જવાહિરી લાંબા સમયથી પાકિસ્તાનમાં હતો.

Next Article