યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે

|

May 08, 2021 | 10:12 AM

આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી.

યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે
File Image

Follow us on

આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી. આગની ઘટના બાદ નેવીએ તપાસના આદેશ આપ્યા છે. જે સમયે યુદ્ધ જહાજને આગ લાગી હતી તે સમયે આઈએનએસ વિક્રમાદિત્ય કર્ણાટકના કરવાર હાર્વર પાસે ઉભું.

આગ લાગ્યા બાદ થોડા સમયમાં તેને કાબુમાં લેવામાં આવી હતી. માહિતી અનુસાર મોટું નુકશાન નથી થયું તેવા સમાચાર આવ્યા હતા, તેમજ આ યુદ્ધ જહાજના તમામ સભ્યો સલામત હોવાના અહેવાલ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

યુદ્ધ જહાજ ઉપર લાગેલી આગ વિશે જહાજમાં ફરજ પર રહેલા અધિકારીઓએ માહિતી આપી હતી. ફરજ દરમિયાન એક સ્ટાફે ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો, જે પછી તરત જ અધિકારીઓને આની જાણ કરવામાં આવી હતી. જે ભાગમાં આગ લાગી હતી તે ભાગમાં ખલાસીઓ (સૈનિકો) ના આવાસ છે.

આગ લાગ્યા બાદ નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું છે કે “આગ કાબૂમાં લેવામાં આવી છે અને જહાજમાં સવાર તમામ કર્મચારી સુરક્ષિત છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ફરજ પરના જવાનોએ યુદ્ધ જહાજમાંથી ધુમાડો નીકળતો જોયો હતો.”

નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “જહાજમાં આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવવા માટે હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઘટના બાદ વહાણમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી હતી અને કોઈ મોટું નુકસાન થયું નથી.”

 

આ પણ વાંચો: નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

આ પણ વાંચો: Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

Published On - 10:05 am, Sat, 8 May 21

Next Article