કોરોના કેસમાં વધારો થતાં સુપ્રીમ કોર્ટે કેસ દાખલ કરવાની મર્યાદાનો સમયગાળો વધારવા માટે સંમત

|

Jan 10, 2022 | 1:41 PM

દેશમાં કોરોના કેસની વધતી સંખ્યાના પ્રકાશમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ન્યાયિક અને અર્ધ-ન્યાયિક કાર્યવાહી માટે મર્યાદા સમયગાળો વધારવા માટે સંમત થયા હતા. આ અંગેનો આદેશ આજે જાહેર થઇ શકે છે.

કોરોના કેસમાં વધારો થતાં સુપ્રીમ કોર્ટે કેસ દાખલ કરવાની મર્યાદાનો સમયગાળો વધારવા માટે સંમત
Supreme Court (File Photo)

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે દેશમાં ન્યાયિક અને અર્ધ-ન્યાયિક મંચ પર કેસ દાખલ કરવા માટેની મર્યાદા અવધિને ફરીથી લંબાવવા માટે સંમત થયા હતા. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચ વિગતવાર આદેશ જાહેર કરશે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને સૂર્યકાંતની બેન્ચે પણ કહ્યું હતું કે, અમે આ મામલે અરજી સ્વીકારી રહ્યા છીએ.

ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કહ્યું કે કોર્ટ સુપ્રીમ કોર્ટના એડવોકેટ-ઑન-રેકોર્ડ એસોસિએશન (SCAORA)ની વિનંતીને સ્વીકારી રહી છે, જેમાં મર્યાદા લંબાવવાના આદેશોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન (એસસીએઓઆરએ)એ માર્ચ 2020ના આદેશને પુનઃસ્થાપિત કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેના દ્વારા કોર્ટે કોવિડ-19ને કારણે પડી રહેલી મુશ્કેલીઓની પૃષ્ઠભૂમિમાં મર્યાદાની માંગ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

SCAORAના પ્રમુખ, એડવોકેટ શિવાજી જાધવે રજૂઆત કરી હતી કે છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોર્ટને મર્યાદા વધારવાના આદેશોને પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે SCAORAની અરજીને સમર્થન આપ્યું હતું.

SCAORAએ 23 માર્ચ, 2020 અને એપ્રિલ 27, 2021ના ​​આદેશોને પુનઃસ્થાપિત કરવા માટે ‘મર્યાદાના વિસ્તરણ માટે’ અરજી દાખલ કરી હતી, જેના દ્વારા કેસ દાખલ કરવા માટેની મર્યાદાનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. SCAORAની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે નવા વેરિઅન્ટમાં ખાસ કરીને Omicronને પગલે કોરોનાની પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયો છે.

પિટિશનમાં જણાવાયું છે કે કોરોના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને મર્યાદાની અવધિના સંદર્ભમાં મુક્તિ પુનઃસ્થાપિત કરવી જરૂરી બની જાય છે.

નોંધનીય છે કે ભારતમાં (India) કોરોના (Corona) વાઈરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 146 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન 46,569 લોકો કોરોનાને મ્હાત આપી છે. ચેપના નવા કેસ રવિવારની સરખામણીએ 12.6 ટકા વધુ છે.

નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 3,57,07,727 થઈ ગઈ છે. જેમાં લગભગ 3.45 કરોડ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 96.62 ટકા છે. તે જ સમયે નવા કેસ પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 7,23,619 થઈ ગઈ છે, જે કુલ કેસના 2.03 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીના કુલ કેસના 1.36 ટકા છે.

આ પણ વાંચો : Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

આ પણ વાંચો : શશિ થરૂરની અંગ્રેજી ડિક્શનરીઃ કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા ફરી એક નવા શબ્દનો ઉપયોગ, જાણો તેનો શું છે અર્થ

Next Article