પાકિસ્તાનની એ જગ્યા જ્યાંથી જેશ-એ-મોહમ્મદનો ચીફ આતંકી મસૂદ અઝહર ઘડે છે ભારત પરના આતંકી હુમલાની યોજના, પાકિસ્તાનના શહેર બહાવલપુરમાં છે તેનો અડ્ડો

|

Feb 17, 2019 | 8:34 AM

પુલવામા આતંકી હુમલામાં દેશના 40થી વધુ વીર જવાનો શહીદ થઈ ગયા. હુમલાના થોડા જ સમયમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી પણ લઈ લીધી. આ આતંકી સંગઠનનો ચીફ છે મસૂદ અઝહર. જે પોતે એક સમયે ભારતીય જેલમાં બંધ હતો. પરંતુ ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરી યાત્રીઓની મુક્તિના બદલે તત્કાલિન મુખ્યપ્રધાન અટલ બિહારી વાજપેયી […]

પાકિસ્તાનની એ જગ્યા જ્યાંથી જેશ-એ-મોહમ્મદનો ચીફ આતંકી મસૂદ અઝહર ઘડે છે ભારત પરના આતંકી હુમલાની યોજના, પાકિસ્તાનના શહેર બહાવલપુરમાં છે તેનો અડ્ડો

Follow us on

પુલવામા આતંકી હુમલામાં દેશના 40થી વધુ વીર જવાનો શહીદ થઈ ગયા. હુમલાના થોડા જ સમયમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી પણ લઈ લીધી.

આ આતંકી સંગઠનનો ચીફ છે મસૂદ અઝહર. જે પોતે એક સમયે ભારતીય જેલમાં બંધ હતો. પરંતુ ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરી યાત્રીઓની મુક્તિના બદલે તત્કાલિન મુખ્યપ્રધાન અટલ બિહારી વાજપેયી સરકારે મજબૂરીને જોઈએ મસૂદ અઝહરને છોડ્યો હતો.

અને ત્યારથીજ મસૂદ અઝહર દર થોડા સમયે ભારત સાથે અવળચંડાઈ કરતો રહે છે. 2001માં સંસદ પરનો હુમલો હોય કે પછી પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મસૂદ અઝહરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને પોતાની આતંકી પ્રવૃત્તિઓનો અડ્ડે બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબના બહાવલપુર શહેરમાં આતંકની એક સ્કૂલ ચલાવે છે મસૂદ. અહીં એક મસ્જિદ પણ છે, જ્યાં આ આતંકી ધર્મ અને ધાર્મિક તાલીમના નામે જેહાદીઓને પોતાને ત્યાં ભરતો રહે છે.

બહાવુલપુર પાકિસ્તાનનું 12મા નંબરનું સૌથી મોટું શહેર છે. જે વ્યક્તિ અહીં જાય તેનું ધ્યાન આ સફેદ મસ્જિદ પર ગયા વગર ના રહે. આ મસ્જિદ જૈશ સંગઠનનું મુખ્યાલય છે અને મસૂદ અઝહરની ગુફા કહેવાય છે. જેનું નામ જામિયા સુભાનઅલ્લાહ છે.

ક્યાં છે આતંકી મસૂદની ગુફા?

પાકિસ્તાનના NH-5 પર સરકી ચોક સ્થળ પર પાકિસ્તાન સરકારે F-6 ફાઈટર પ્લેન સામાન્ય જનતા માટે ખૂલ્લુ મૂકેલું છે. આ જગ્યાથી તમે થોડી મિનિટ જ આગળ જાવો ત્યાં આશરે 1 કિલોમીટરના અંતરે જ આતંકી મસૂદની ગુફા એટલે કે સુભાનઅલ્લાહ મસ્જિદ આવેલી છે.

આમ તો આપણે ભારતીયો જાણીએ જ છીએ કે પાકિસ્તાન જ આ આતંકીઓને પોષી રહ્યું છે. છતાં તમને જાણીને નવાઈ લાગશે કે આ આતંકીના અડ્ડાથી માત્ર 8 કિલોમીટરના અંતરે પાકિસ્તાન આર્મીના 31 કોર્પ્સનું હેડ ક્વાર્ટર આવેલું છે. છતાં પણ ખુલ્લેઆમ આ આંતકી કોઈ પણ જાતના ડર વગર પોતાની આતંકી પ્રવૃત્તિઓ ચલાવે છે.

 

કહેવાય છે કે અહીં મસ્જિદ સિવાય યુવાનો માટેની હોસ્ટેલ પણ છે. જ્યાં સૂત્રોના કહેવા પ્રમાણે સ્વિમિંગ પૂલ, રમત-ગમતનું મેદાન પણ આવેલું છે. એટલે સુધી કે અહીં જવાની મંજૂરી સ્થાનિક પોલીસને પણ નથી. અને આ જગ્યા પર બેસીને જ આ આતંકી ભારત પર થયેલા હુમલાઓની યોજના ઘડે છે.

[yop_poll id=1486]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:26 pm, Sat, 16 February 19

Next Article