સિંહગઢના કિલ્લાને મુઘલો પાસેથી પરત મેળવવા તાનાજીએ એક ગરોળીની મદદથી ઘડી હતી યુદ્ધની વ્યુહરચના અને સર કર્યો હતો ગઢ, કોણ હતી આ ગરોળી- વાંચો

પૂણેના પ્રખ્યાત સિંહગઢના કિલ્લા પર ચડાઈ કરવા માટે તાનાજીએ તેમની પાલતુ ગરોળીની મદદ લીધી હતી અને તેની મદદથી કિલ્લા પર ચડી મુઘલો પર અચાનક આક્રમણ કરી દીધુ હતુ. ત્યારે તાનાજીની આ પાલતુ ગરોળી કોણ હતી અને કઈ પ્રજાતિની હતી. શું તેની મદદથી તાનાજી કિલ્લો સર કરવામાં સફળ રહ્યા હતા કે નહીં. તેમણે કેવી રીતે ઘડી હતી સમગ્ર વ્યુહરચના. વાંચો ગરોળીની માલિક પ્રત્યેની વફાદારી વિશેની રસપ્રદ જાણકારી.

સિંહગઢના કિલ્લાને મુઘલો પાસેથી પરત મેળવવા તાનાજીએ એક ગરોળીની મદદથી ઘડી હતી યુદ્ધની વ્યુહરચના અને સર કર્યો હતો ગઢ, કોણ હતી આ ગરોળી- વાંચો
| Updated on: Feb 10, 2025 | 8:55 PM

તાનાજી માલસુરે એક એવુ નામ જે શિવાજી મહારાજની જેમ જ બહાદૂરી અને વિરતાનો પર્યાય છે. તાનાજી બહાદુર અને પ્રસિદ્ધ મરાઠા યૌદ્ધા અને શિવાજી મહારાજના ખાસ વિશ્વાસુ મિત્ર તરીકે પણ જાણીતા છે. તેમને 1670માં સિંહગઢની લડાઈ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. મુઘલ કિલ્લા રક્ષક ઉદયભાન રાઠૌર વિરુદ્ધ તેઓ છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. આ લડાઈ બાદ મરાઠાઓએ તેમની જીતનો માર્ગ મોકળો કર્યો હતો. તેમની વીરતા અને તાકાતને કારણે શિવાજી મહારાજ તેમને ‘સિંહ’ કહીને બોલાવતા હતા. તાનાજી માલસુરેનો જન્મ 1600 મી સદીમાં સતારા જિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સરદાર કોલાજી અને માતા પાર્વતીબાઈ હતુ. તેના ભાઈનું નામ સરદાર સૂર્યાજી હતુ. સિંહગઢ કિલ્લો પહેલા કોંઢાણાથી જાણીતો હતો એક તરફ તાનાજી માલસુરેના પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ હતુ. તાનાજી શિવાજી મહારાજ અને તેમના પરિવારને લગ્નમાં આવવા માટેનું આમંત્રણ આપવા ગયા હતા. ત્યારે જ તેમને ખબર પડી કે શિવાજી મહારાજ કોંઢાણા કિલ્લો જે સિંહગઢ કિલ્લાથી પણ જાણીતો છે...

Published On - 8:54 pm, Mon, 10 February 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો