પીએમ મોદીની સુરક્ષામાં ચૂક: સુપ્રીમ કોર્ટે પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ આપ્યો, આગામી સુનાવણી સોમવારે થશે

|

Jan 07, 2022 | 12:05 PM

સુપ્રીમ કોર્ટ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિના મામલાની સુનાવણી કરી રહી છે. પીએમને બુધવારે પંજાબમાં તેમની રેલી મોકૂફ રાખવી પડી હતી, કારણ કે રોડ બ્લોકને કારણે તેમનો કાફલો ફ્લાયઓવર પર લાંબા સમય સુધી અટવાઈ ગયો હતો.

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક: સુપ્રીમ કોર્ટે પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ આપ્યો, આગામી સુનાવણી સોમવારે થશે
Hearing on the matter of lapse in PM's security

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Narendra Modi)ની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીનો સમાવેશ થાય છે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન મનિન્દર સિંહે કહ્યું કે આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી પરંતુ SPG એક્ટ હેઠળનો મુદ્દો છે. 

સિંહે કહ્યું કે આ એક વૈધાનિક જવાબદારી છે. આમાં કોઈ સંકોચ ન હોઈ શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, માત્ર કાયદો અને વ્યવસ્થાનો જ નહીં અને રાજ્ય સરકારે કાયદાકીય સ્તરે તેનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે, આ મામલે સ્પષ્ટ તપાસ જરૂરી છે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી પણ જરૂરી છે. સિંહે કહ્યું કે રાજ્ય સરકાર પાસે આ મામલે અથવા ખાસ કરીને SPG એક્ટ સંબંધિત મુદ્દાની તપાસ કરવાની સત્તા નથી અને કોર્ટે આ મામલે તપાસ કરવી જોઈએ. 

NIA પાસે તપાસની માગ

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા સિંહે સ્પષ્ટ કર્યું કે પોલીસ આ મામલે કોઈપણ રીતે તપાસ કરી શકે નહીં. તેમણે કહ્યું કે ભટિંડાથી ફિરોઝપુર સુધીના પુરાવા ભટિંડાની સ્થાનિક કોર્ટ દ્વારા લેવામાં આવે અને આ મામલે NIA દ્વારા તપાસ કરવામાં આવે. અરજદારે સુપ્રીમ કોર્ટને PMની સુરક્ષામાં ક્ષતિના મામલામાં NIA દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. અરજદારના એડવોકેટ મંદિર સિંહે બેંચને કહ્યું કે પીએમની સુરક્ષામાં ક્ષતિના મામલાની તપાસ કેન્દ્ર અને રાજ્યની ઉપર થવી જોઈએ અને ભટિંડાના સ્થાનિક ન્યાયાધીશને જે પણ પુરાવા આપવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ. તેમને NIA સ્તરના અધિકારી દ્વારા સમર્થન મળવું જોઈએ. 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

શું છે આ સમગ્ર મામલો?

પીએમ મોદી 42,750 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પંજાબના ફિરોઝપુર પહોંચવાના હતા. આ માટે તેમને રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક લઈ જવામાં આવી રહ્યા હતા કારણ કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ન હતું. પરંતુ ઘટનાસ્થળથી થોડે દૂર ખેડૂતોએ વિરોધ કર્યો અને રસ્તો રોકી દીધો, જેના કારણે વડાપ્રધાનનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયેલો રહ્યો. રસ્તો ખાલી ન હોવાથી તેમણે રેલી કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું. 

પોલીસ પર બેદરકારીનો આરોપ

કેન્દ્ર સરકારે કહ્યું કે સુરક્ષા એજન્સી અને રાજ્ય પોલીસ એકબીજાના સંપર્કમાં છે. કેન્દ્ર તરફથી રાજ્ય પોલીસને પત્રો મોકલવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોના ધરણા અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી. આમ છતાં, પોલીસે ન તો વડાપ્રધાન માટે સલામત માર્ગની વ્યવસ્થા કરી કે ન તો રસ્તો સાફ કરાવ્યો. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પંજાબ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેણે સુરક્ષા સંબંધિત બ્લુ બુક નિયમોનું પાલન કર્યું નથી. SPGનું કામ વડાપ્રધાનની સુરક્ષા માટે ઘેરાબંધી કરવાનું છે, પરંતુ બાકીના રક્ષણની જવાબદારી રાજ્યની છે. મંત્રાલયે રાજ્ય સરકારને પણ આ મામલે રિપોર્ટ સોંપવા કહ્યું છે.

આ પણ વાંચો :PM Security Breach: શું છે પીએમ મોદીની સુરક્ષામાં થયેલા ભંગની સંપૂર્ણ આંતરિક વાર્તા, વાંચો Exclusive Report

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી ‘SSG સુરક્ષા’ છીનવાઈ જશે! કેન્દ્ર સરકારે આ સ્પેશિયલ યુનિટ બંધ કરવાનો નિર્ણય લીધો

 

Published On - 11:34 am, Fri, 7 January 22

Next Article