UP : મુખ્યમંત્રી યોગીના ડુપ્લીકેટ અને અખિલેશ યાદવના સ્ટાર પ્રચારકનું શંકાસ્પદ મોત

|

Aug 11, 2023 | 10:31 PM

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દેખાતા સુરેશ કુમાર યોદ્ધાનું અવસાન થયું છે. સુરેશ કુમાર યોદ્ધા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના સ્ટાર પ્રચારક હતા. ઘણી વખત તેઓ અખિલેશ યાદવ સાથે ચૂંટણી પ્રચારના મંચ પર જોવા મળ્યા હતા.

UP : મુખ્યમંત્રી યોગીના ડુપ્લીકેટ અને અખિલેશ યાદવના સ્ટાર પ્રચારકનું શંકાસ્પદ મોત
UP News

Follow us on

UP : વિધાનસભા ચૂંટણી-2022માં સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક સુરેશ કુમાર યોદ્ધા (Suresh kumar Yoddha) (યોગીના ડુપ્લિકેટ)ની હત્યા કરવામાં આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને જાણકારી આપી છે. સુરેશ ઉન્નાવ જિલ્લાનો રહેવાસી હતો. તેના નિધન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે, “સપા પ્રચારક તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવનાર સુરેશ ઠાકુરની હત્યા અત્યંત હૃદયદ્રાવક છે. ગુનેગારો સામે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સરકારને અપીલ છે…ભાવભિની શ્રદ્ધાંજલિ.”

આ પણ વાંચો રાજ્યસભામાંથી સસ્પેન્શન બાદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન આવ્યું સામે, કહ્યું- હું ચૂપ નહીં રહું !

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તમને જણાવી દઈએ કે સુરેશ કુમાર યોદ્ધા ઉન્નાવના સોહરામાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોપાઈ ગામના રહેવાસી હતા. તેની પત્નીએ જણાવ્યું કે ગયા મહિને 28 જુલાઈના રોજ સુરેશને તેની પડોશમાં રહેતા બે ભાઈઓએ નિર્દયતાથી માર માર્યો હતો. માર મારવાથી તે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દીધી હતી. આજે સવારે સુરેશનું અવસાન થયું હતું. માહિતી મળતાં પોલીસે સુરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુરેશના મૃત્યુની માહિતી મળતા જ મોટી સંખ્યામાં સપાના કાર્યકરો અને નેતાઓ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા.

સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા

સુરેશનું મૃત્યુ કેવી રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે હુમલા બાદ તેણે સોહરામાઉ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. પત્નીએ કહ્યું કે પોલીસ આરોપી સાથે મિલીભગત કરી રહી છે. મારપીટની ઘટના બાદ તે વારંવાર પોલીસ સ્ટેશને ધકા ખાધા હતા, પરંતુ પોલીસે તેની વાત સાંભળી ન હતી. પોલીસ આરોપીને બચાવ કરી રહી છે.

સુરેશ કુમાર યોદ્ધા દેખાવમાં સીએમ યોગી જેવો જ લાગતો હતો

સુરેશ કુમાર યોદ્ધા સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ઘણીવાર સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે જોવા મળતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો લાગતો હતો. યોગી જેવા ભગવા કપડાં પહેરવા, તેમના જેવી જ બોલીનો ઉપયોગ કરવો વગેરે સીએમ યોગી જેવા જ હતા.

સુરેશ દ્વારા અખિલેશ યાદવ સીએમ યોગી પર નિશાન સાધતા હતા

વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ સાથે સુરેશનો એક ફોટો ચર્ચામાં આવ્યો હતો. તેઓ પ્લેનની અંદર અખિલેશ સાથે લંચ કરતા જોવા મળ્યા હતા. આ ફોટો એક જ એરપોર્ટ પર સાથે લેવામાં આવ્યો હતો. સપા ચીફ સાથે તેમની નિકટતાને જોઈને લોકોએ એવું પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે સુરેશ જલ્દી જ પાર્ટીમાં મોટું પદ મેળવી શકે છે. અખિલેશ યાદવ જ્યાં પણ પ્રચાર માટે જતા હતા ત્યાં સુરેશને સાથે લઈ જતા હતા. સુરેશ દ્વારા તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ પણ કરતા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article