કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ

|

Sep 30, 2024 | 11:25 AM

રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે.

કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ
Kumbh Mela

Follow us on

રેલવે મંત્રાલય કુંભ મેળાને લઈને તૈયારીઓમાં લાગી ગયુ છે. જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક મેળાવડા માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાત પોસ્ટ કરી અને જણાવ્યું કે કુંભ મેળા માટે રેલવે મંત્રાલયે શું તૈયારીઓ કરી છે. તેણે લખ્યું “કુંભ મેળો – વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો! ભારતીય રેલવે કુંભ મેળા 2025 માટે ભક્તો માટે રેકોર્ડ ટ્રેનો, અપગ્રેડ કરેલા ટ્રેક અને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે! રેલવેની તમામ સુવિધાઓ જાણો”

આ પછી સાત પોસ્ટમાં રેલવે મંત્રીએ સૌથી પહેલા મહત્વની તારીખો જણાવી. આ પછી તેમણે જણાવ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે. 2019માં સામાન્ય ટ્રેનોની સંખ્યા 5000 હતી જે 2025માં 6580 થઈ જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રેલવેએ અનેક રૂટ પર બીજી લાઇન નાખવાનું કામ પણ પૂર્ણ કર્યું છે અને મુસાફરોની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને કામ કરવામાં આવ્યું છે.

Fish Oil: બાજ જેવી થઈ જશે તમારી નજર, માછલીના તેલનું સેવન કરવાના 7 મોટા ફાયદા
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
સુરતમાં ફરવા માટેના આ બેસ્ટ પ્લેસ નહીં કરતાં મિસ
મગનું સેવન કરવાથી થાય છે આ મેજિકલ ફાયદા
કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી કલાક સૂવુ જોઈએ?
ગુજરાતી સિંગરની ફેશન સેન્સ બધાને પસંદ આવે છે

પાયાની સુવિધાઓ માટે 933 કરોડનું બજેટ

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિશેષ ટ્રેનો ચલાવવા ઉપરાંત, મંત્રાલયે મુસાફરો માટે વિવિધ માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓના નિર્માણ અને અપગ્રેડેશન માટે રૂ. 933 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ટ્રેનોની સરળ અવરજવર માટે રૂ. 3,700 કરોડના ખર્ચે રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

મંત્રીઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યના બે મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને વી સોમન્નાએ 12 જાન્યુઆરીથી શરૂ થનારી ઈવેન્ટ દરમિયાન ભક્તોની વિશાળ ભીડને સંભાળવા માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા શનિવારે બેઠક યોજી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓ ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે અને ઉત્તર પૂર્વ રેલવે જેવા સંબંધિત ઝોનના જનરલ મેનેજર સહિત વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે નિયમિત વિડિયો કોન્ફરન્સ પણ કરે છે.”

કુંભમાં 30 થી 50 કરોડ ભક્તો આવવાની આશા

અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ, વારાણસી, દીન દયાલ ઉપાધ્યાય અને લખનૌ જેવા સંબંધિત રેલ્વે વિભાગોના વિભાગીય પ્રબંધકો પણ વિવિધ વિકાસ કાર્યો પર નિયમિત અપડેટ્સ પ્રદાન કરવા માટે આ બેઠકોમાં ભાગ લે છે. આ કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા છે, તેથી રેલ્વે મંત્રાલયે પ્રયાગરાજ માટે વિવિધ શહેરોમાંથી 6,580 નિયમિત ટ્રેનો ઉપરાંત 992 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.

Next Article