
આજનો દિવસ 3 જૂન 1947 એ ગવર્નર જનરલ માઉન્ટબેટને ભારત- પાકિસ્તાનના ભાગલાની જાહેરાત કરી હતી. આ એ તારીખ હતી જ્યારે અખંડ ભારતના નક્શા પર કેટલીક રેખાઓ ખેંચી દેવામાં આવી હતી અને કરોડો લોકોના હ્રદયમાં ક્યારેય ન ભૂંસાનારી એક સરહદ બની ગઈ. આમ તો ભાગલા દરમિયાન લાહોર ભારતને મળવાનું પરંતુ કેટલાક લોકોની બેઈમાનીને કારણે લાહોરને ભારતથી અલગ કરી દેવામાં આવ્યુ. “મને લાગે છે કે અહીં પંજાબી અને બંગાળી ચેતના છે જેમણે તેમના પ્રાંત પ્રત્યે વફાદારી જગાવી છે અને તેથી મને લાગ્યું કે ભારતના લોકોએ ભાગલાના આ પ્રશ્નનો નિર્ણય પોતે લેવો જોઈએ.” લોર્ડ માઉન્ટબેટને લોકોને સંબોધિત રેડિયો પ્રસારણમાં કહ્યું. આ શબ્દો સાથે, બ્રિટિશ ભારતના છેલ્લા વાઇસરોય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર-જનરલ એ કાર્યથી હાથ ધોઈ નાખ્યા જે આવનારી પેઢીઓ માટે ભારતીયોનું ભવિષ્ય બદલવાનું હતુ. બ્રિટનના છેલ્લા વાઈસરોયની એ જાહેરાત પછી, ભારતને બે દેશો અને ત્રણ ભાગોમાં વિભાજીત કરવાનું નક્કી થયું. ભારત, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. આખરે અનેક સંઘર્ષો બાદ 14-15 ઓગસ્ટ 1947 ની...