Janmashtami 2023 : ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને આખુ ભારત મધરાત સુધી જાગ્યુ હતુ. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દેશમાં દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ કાન્હાના દર્શન કર્યા હતા. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો મંદિર પહોંચ્યા હતા.
મંદિરના પૂજારી જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે બાંકે બિહારી મંદિરમાં મોડી રાત્રે 2 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી, પરંતુ આતુર ભક્તોએ સાંજથી જ લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું હતું.
5 / 6
ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન થયેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
6 / 6
નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે, બાંકે બિહારી મંદિરની અંદર ભક્તોના પ્રવેશને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.