Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિે સનાતન ધર્મ પર ફરી એકવાર વિવાદી નિવેદન આપ્યુ છે. આ નિવેદન તેમણે તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલપતિ વિજયની સામે આપ્યુ છે.

Breaking News: સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન
| Edited By: | Updated on: May 12, 2026 | 1:16 PM

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન પર ઝેર ઓક્યુ છે.વિધાનસભામાં તેના વિવાદી નિવેદનને દોહરાવતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ કે સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ. ઉદયનિધિએ જે સમયે આ નિવેદન આપ્યુ એ સમયે મુખ્યમંત્રી વિજય વિધાનસભામાં તેમની સામે જ બેઠા હતા આ અગાઉ વર્ષ 2023માં પણ ઉદયનિધિ સ્ટાલિને આવુ નિવેદન આપ્યુ હતુ. એ સમયે પણ આ નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. ભાજપે દેશભરમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પ્રદર્શન કર્યુ હતુ. હવે ફરી એકવાર આ નિવેદનને દોહરાવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સત્તા પક્ષ-વિપક્ષ બંને વચ્ચે ટકરાવની સંભાવના વધી ગઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us