Sachin Pilot New Party : અલગ પાર્ટી બનાવવાની અફવા પર લગાવ્યો વિરામ ! સચિન પાયલટ કોંગ્રેસમાં જ રહેશે, નવી પાર્ટી નહીં બનાવે

સચિન પાયલટે જણાવ્યું કે તેઓ દૌસામાં તેમના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સભા કરી રહ્યા છે. સચિનના પિતા રાજેશ પાયલટનું 11 જૂન 2000ના રોજ અવસાન થયું હતું.

Sachin Pilot New Party : અલગ પાર્ટી બનાવવાની અફવા પર લગાવ્યો વિરામ ! સચિન પાયલટ કોંગ્રેસમાં જ રહેશે, નવી પાર્ટી નહીં બનાવે
Image Credit source: Google
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:06 PM

Rajasthan: સચિન પાયલટને લઈને રાજકીય રીતે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નવી પાર્ટી બનાવી રહ્યા છે. તો કેટલાક લોકોએ પોતાની પાર્ટીનું નામ પણ નક્કી કર્યું છે – પ્રોગ્રેસિવ કોંગ્રેસ. એક જગ્યાએ તો એવું પણ કહેવામાં આવ્યું કે આ માટે ચૂંટણી પંચમાં અરજી પણ કરવામાં આવી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે સચિન પાયલટ 11મી જૂને નવી પાર્ટીની ઔપચારિક જાહેરાત કરશે. જેટલા મોં, એટલી વાત. એક સચિન પાયલટ અને તેના વિશે અલગ-અલગ વાતો.

આ પણ વાચો: PM Modi in Rajasthan: વડાપ્રધાન મોદીએ પુષ્કરના બ્રહ્મા મંદિરમાં કરી પૂજા, અજમેરમાં રેલી

જબલપુરમાં માં શારદા દેવીના દર્શન અને પૂજા કર્યા બાદ સચિન પાયલટ હવે દિલ્હીમાં છે. સચિન અત્યારે કોઈને મળતો નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સચિન પાયલટ કોઈ નવી પાર્ટી નથી બનાવી રહ્યા. તેઓ કોંગ્રેસમાં છે અને રહેશે. તેઓ પોતાના પક્ષમાં રહીને સંઘર્ષ કરતા રહેશે. તેમના નજીકના લોકોનું માનીએ તો તેમનો નવો પક્ષ બનાવવાનો કોઈ ઈરાદો નથી.

કોંગ્રેસ લોહીમાં છે

તેમનું કહેવું છે કે કોંગ્રેસ તેમના લોહીમાં છે. સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે સચિન પાયલટ 11મી જૂને જયપુરમાં કોઈ રેલી નથી કરી રહ્યા. સચિન પાયલટે જણાવ્યું કે તેઓ દૌસામાં તેમના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સભા કરી રહ્યા છે. સચિનના પિતા રાજેશ પાયલટનું 11 જૂન 2000ના રોજ અવસાન થયું હતું.

વિદેશ જતા પહેલા રાહુલ ગાંધીએ સચિન પાયલટ અને અશોક ગેહલોતને દિલ્હી બોલાવ્યા હતા. બંને નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સચિન અને ગેહલોત ખુલ્લેઆમ એકબીજા વિરુદ્ધ રાજકારણ કરી રહ્યા છે. ગેહલોતે સચિન વિશે ઘણું કહ્યું છે. તેમણે રાહુલને મળ્યા બાદ એમ પણ કહ્યું હતું કે નવા લોકોએ ધીરજ રાખવી જોઈએ. દરેક વ્યક્તિને સમયસર કંઈક મળશે.

આ ત્રણ મુદ્દાઓ પર વાત થઈ

કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ સાથેની બેઠકમાં સચિન માટે ત્રણ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવી શકે છે. આ સાથે તેમને રાજસ્થાન પ્રચાર સમિતિના સંયોજક પણ બનાવવામાં આવી શકે છે. તેમની ત્રીજી અને છેલ્લી માંગ છે કે તેમના સમર્થકોને ટિકિટ મળે. સચિન હવે આ ત્રણ માંગ પર નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. ત્યાં સુધી ગેહલોત અને સચિન બંનેને આ મુદ્દે કોઈ નિવેદન ન આપવા માટે કહેવામાં આવ્યું છે.