RJDના સાંસદને વિદેશ મંત્રાલય તરફથી ન મળી પાકિસ્તાન જવાની પરમિશન, પ્રવાસને રદ કરવાની ફરજ પડી

|

Oct 04, 2022 | 7:36 AM

તેમની અરજીના અસ્વીકારને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા, એમપી ઝાએ (Manoj Jha)કહ્યું કે આ મુલાકાત તેમને લોકોના લોકતાંત્રિક અધિકારો માટે લડવામાં ભારતીય રાજકીય પક્ષોની મહાન પરંપરાને રેખાંકિત કરવાની તક આપતે

RJDના સાંસદને વિદેશ મંત્રાલય તરફથી ન મળી પાકિસ્તાન જવાની પરમિશન, પ્રવાસને રદ કરવાની ફરજ પડી
Rajya Sabha MP Manoj Jha

Follow us on

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને રાજ્યસભા(Rajyasabha)ના સભ્ય મનોજ ઝા(manoj Jha)એ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકારે તેમની પાકિસ્તાન(Pakistan)ની પ્રસ્તાવિત મુલાકાતને રાજકીય મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનની જાણીતી માનવાધિકાર કાર્યકર્તા અસ્મા જહાંગીરની યાદમાં 23 ઓક્ટોબરે લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકતાંત્રિક અધિકારોના રક્ષણમાં રાજકીય પક્ષોની ભૂમિકાના મુદ્દાને સંબોધવા મનોજ ઝા પડોશી દેશમાં જવાના હતા.

તેમની અરજીના અસ્વીકારને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા, સાંસદ ઝાએ કહ્યું કે આ મુલાકાતથી તેમને લોકોના લોકતાંત્રિક અધિકારો માટે લડવામાં ભારતીય રાજકીય પક્ષોની મહાન પરંપરાને ઉજાગર કરવાની તક મળશે. તેમણે કહ્યું કે અસ્મા જહાંગીર પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારો માટે લડતી કાર્યકર્તા હતી. અસ્માનું 2018માં નિધન થયું હતું.

ઝા 23ના રોજ અસ્મા જહાંગીર ફાઉન્ડેશન, પાકિસ્તાન બાર કાઉન્સિલ, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન ઑફ પાકિસ્તાન અને AGHS લીગલ એઇડ સેલ દ્વારા ચોથી અસ્મા જહાંગીર કોન્ફરન્સના સમાપન સત્રમાં ‘લોકશાહી અધિકારોના જાળવણીમાં રાજકીય પક્ષોની ભૂમિકા’ વિષય પર અતિથિ વક્તા તરીકે ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા ઝાએ કહ્યું કે તેમને વિદેશી અનુદાન (રેગ્યુલેશન) એક્ટ અંગે ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી હતી, પરંતુ વિદેશ મંત્રાલયે તેમને રાજકીય મંજૂરી આપી ન હતી. “આનાથી મને ભારતીય સંસદ વતી સમજાવવાની તક મળી હોત કે અમે કેવી રીતે રસ્તાઓ પર અને સંસદમાં લોકોના લોકતાંત્રિક અધિકારો માટે લડીએ છીએ,”

મનોજ ઝાએ જણાવ્યું હતું કે તેમને સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ, 2010ની કલમ 6 હેઠળ બે દિવસીય કોન્ફરન્સ માટે લાહોરની મુલાકાત દરમિયાન વિદેશી આતિથ્ય સ્વીકારવા માટે પૂર્વ પરવાનગી માંગવામાં આવી હતી. અરજી મંજૂર કરવામાં આવી છે. જો કે, તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયે કોઈપણ કારણ “રાજકીય મંજૂરી” આપ્યા વિના તેમની અરજી ફગાવી દીધી.

સાંસદ ઝાએ કહ્યું કે, “હું આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સુક હતો.” તેણે જણાવ્યું કે તેણે 20 ઓક્ટોબરે વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન જવાની અને 24 ઓક્ટોબરે પરત આવવાની યોજના બનાવી હતી.

Published On - 7:36 am, Tue, 4 October 22

Next Article