કેરળમાં કોરોનાના વધતા જતા કેસો અંગે ચિંતા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે કેરળની લેશે મુલાકાત

|

Aug 16, 2021 | 9:25 AM

કેરળમાં (Kerala) અત્યાર સુધીમાં કોવિડ -19 ને કારણે લગભગ 30 લાખ કેસ અને 18,601 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે, કેરળ રાજ્યમાં કોરોનાના નવા 18,582 કેસ નોંધાયા હતા, જ્યારે 102 દર્દીઓ કોવિડ19 (COVID-19 )થી મૃત્યુ પામ્યા હતા

કેરળમાં કોરોનાના વધતા જતા કેસો અંગે ચિંતા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે કેરળની લેશે મુલાકાત
Union Health Minister Mansukh Mandaviya

Follow us on

Corona virus: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ( Mansukh mandaviya ) આજે સોમવારે કોરોના સામે લડતા કેરળમાં (Kerala) વાયરસની સમીક્ષા કરવા માટે રાજ્યની મુલાકાત લેશે. કેરળ રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસને જોઈને, માંડવિયાએ કેરળની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. લગભગ બે અઠવાડિયા પહેલા આરોગ્ય પ્રધાને કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે કોરાનાના વધતા જતા કેસો અંગે વાતચીત કરી હતી. રોગચાળાને ડામવા માટે રાજ્ય સરકારનો સહયોગ માંગતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વિજયનને પત્ર લખીને વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે વધુ સક્રિય પગલાં લેવાની અપીલ કરી હતી.

કેરળમાં (Kerala) અત્યાર સુધીમાં કોવિડ -19 ને કારણે લગભગ 30 લાખ કેસ અને 18,601 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે, કેરળ રાજ્યમાં કોરોનાના નવા 18,582 કેસ નોંધાયા હતા, જ્યારે 102 દર્દીઓ કોવિડ19 (COVID-19 )થી મૃત્યુ પામ્યા હતા. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, રવિવારે આશરે 21,000 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી, જે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,492,367, જ્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા 178,630 થઈ ગઈ છે. રવિવારે, કોવિડ -19 માટે 122,970 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી અને ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) 15.11 ટકા રહ્યો.

કોરોનાના કેસના રવિવારના જાહેર કરાયેલા આંકડા મુજબ, મલપ્પુરમ, ત્રિશૂર, કોઝિકોડ અને એર્નાકુલમ એમ ચારર જિલ્લાઓમાં 2,000 થી વધુ કેસ નોંધાયા છે. કેરળના કેટલાક જિલ્લાઓમાં 499,000 થી વધુ દર્દીઓ નિરીક્ષણ હેઠળ છે, જેમાંથી 27,636 હોસ્પિટલોમાં છે અને બાકીના 471,395 દર્દીઓ ઘરે ક્વોરન્ટાઈન છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે, રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિ ગભરાટ સર્જે તેવી સ્થિતિમાં નથી અને રાજ્ય સરકાર કોવિડ -19 ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે, અમે કોરોના વિરોધી રસી વધુ મળે તે માટે વિનંતી કરી છે. ગયા સપ્તાહની સરખામણીએ કેસ વધારે હોવા છતાં, હોસ્પિટલો અને આઈસીયુમાં લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેરળના પ્રવાસ દરમિયાન કેરળના મુખ્યપ્રધાન વિજયન અને કેરળના આરોગ્ય પ્રધાન જ્યોર્જને મળશે. તેમની સાથેસાથે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હશે.

આ પણ વાંચોઃ Mumbai : પરમબીર સિંહ વસૂલી કેસમાં ગેંગસ્ટર છોટા શકીલના ભાઈ અનવર સામે FIR દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચોઃ Delhi : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદી સહિત નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલિ

 

Next Article