Ramadan Eid 2021 : આસામની મસ્જિદ સમિતિઓએ કર્યું એલાન, કોરોના મહામારીમાં નહિ અદા કરી શકાય સામૂહિક નમાજ

|

May 11, 2021 | 11:00 PM

ઇદ પર પરંપરાગત રીતે મસ્જિદો અથવા ઈદગાહ પર સામૂહિક પ્રાર્થના (નમાજ) નહીં થાય, સાથે સાથે કોરોના સંબંધિત માર્ગદર્શિકાને કારણે લોકોને હાથ મિલાવવામાં અને ગળે લગાવવા પર પ્રતિબંધ

Ramadan Eid 2021 : આસામની મસ્જિદ સમિતિઓએ કર્યું એલાન, કોરોના મહામારીમાં નહિ અદા કરી શકાય સામૂહિક નમાજ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Ramadan Eid 2021 : આસામની મસ્જિદ સમિતિ (Assam Mosque Committees) એ નિર્ણય લીધો છે કે કોરોના મહામારી (Corona Pandemic) અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાને પગલે ઈદ-ઉલ-ફિત્ર (Eid-ul-Fitr) ઉત્સવ દરમિયાન મસ્જિદ સંકુલમાં સમૂહ પ્રાર્થના કરવામાં આવશે નહીં. મસ્જિદના ઇમામે લોકોને પોતાના ઘરોમાં પ્રાર્થના (namaz ) અને ઉજવણી કરવા જણાવ્યું છે.

બુરહા જામા મસ્જિદ સમિતિના એક અધિકારીએ ગુવાહાટીમાં કહ્યું હતું કે ઇદ પર પરંપરાગત રીતે મસ્જિદો અથવા ઈદગાહ પર સામૂહિક પ્રાર્થના (નમાજ) નહીં થાય, સાથે સાથે કોરોના સંબંધિત માર્ગદર્શિકાને કારણે લોકોને હાથ મિલાવવામાં અને ગળે લગાવવા પર પ્રતિબંધ હશે.

પદાધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ધાર્મિક સ્થળો માટેની સરકારી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત પાંચ લોકોને મસ્જિદો અથવા ઇદગાહોમાં એકત્રીત થવાની છૂટ છે. તેમણે કહ્યું કે ભીડ વધારે ન થાય અને ભીડનું સંચાલન કરવા માટે, મોટાભાગની મસ્જિદ સમિતિઓએ ગયા વર્ષ (કોરોના રોગચાળો) થી મસ્જિદોના દરવાજા બંધ રાખ્યા છે. તેમણે કહ્યું કે મસ્જિદ પરિસરમાં મૌલાના સહિત પાંચ લોકો અને ત્યાં કામ કરતા લોકો આ ઉત્સવમાં નમાઝ અદા કરશે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

મુસ્લિમ બિરાદારોને ઘરમાં રહીને જ નમાજ અદા કરવાની કરી અપીલ

અગાઉ, દિલ્હીના મુગલ સમયગાળાની બે ઐતિહાસિક મસ્જિદોના શાહી ઇમામોએ સોમવારે અલગ અલગ વિડિઓ જારી કર્યા હતા, જેમાં મુસ્લિમ સમુદાયને કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઘરે ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરવાની અપીલ કરવામાં આવી હતી. જારો મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારી અને ચાંદની ચોકમાં ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તિ મુકરમ અહમદે કોરોનાની સ્થિતિને જોતા મુસ્લિમોને ઘરે જ ઈદની નમાઝ વાંચવાની અપીલ કરી હતી.

ઇદનો તહેવાર ગુરુવાર અથવા શુક્રવારે થઈ શકે છે, જે ચંદ્ર નજર આવવા પર આધારિત છે. બુખારીએ એક વીડિયોમાં જણાવ્યું છે કે, આ સમયે, કોરોનાવાયરસ ઝડપથી આખા દેશમાં ફેલાયો છે અને આ વાયરસ મોટી સંખ્યામાં લોકોને ઘેરી રહ્યો છે. આ એક એવી ખતરનાક વાસ્તવિક્તા છે જે આપણે અને તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોઈ હશે.

દેશમાં ત્રીજી લહેરનો છે ખતરો

નિષ્ણાંતોના મતે દેશમાં કોરોના ત્રીજી લહેરનો ખતરો પણ આવી રહ્યો છે, તેથી 13 કે 14 મેના રોજ ઇદ ઉલ ફિત્ર અને પરિસ્થિતિની અતિશયોક્તિને જોતા મારી અપીલ છે કે ઈદ નમાઝ અદા કરવા માટે વધુ સારું છે કે પોતાના ઘરોમાં રહીને ઉજવણી કરો. તેમણે કહ્યું કે આવા સંજોગોમાં શરિયા (ઇસ્લામિક કાયદો) ઘરે નમાઝ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. તે જ સમયે, ફતેહપુરી મસ્જિદના શફી ઇમામ મુફ્તિ મુકરમે એક અલગ વીડિયોમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસની બીજી તરંગ ચાલી રહી છે અને લાખો કેસ દરરોજ સામે આવી રહ્યા છે, હજારો લોકો મરી રહ્યા છે. સંજોગો પ્રમાણે ઘણી સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો : Ramadan Eid 2021 Decoration Ideas: ઘર સજાવટ માટે અપનાવો આ 5 રીત, ઈદમાં ખીલી ઉઠશે આપનું ઘર

Next Article