Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે

|

Nov 22, 2021 | 5:38 PM

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો તેમની પાર્ટી પંજાબમાં સરકાર બનાવે છે, તો તેઓ 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપશે. તેમણે કહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હશે.

Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે
Arvind Kejriwal

Follow us on

આવતા વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election) માટે તમામ પક્ષો સખત મહેનત કરી રહ્યા છે. સત્તાની ચાવી મેળવવા માટે નેતાઓ લોકોના દિલ જીતવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જો તેમની પાર્ટી પંજાબમાં સરકાર બનાવે છે, તો તેઓ 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપશે. તેમણે કહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હશે.

અરવિંદ કેજરીવાલે મોગામાં કહ્યું કે, જો અમે 2022માં પંજાબમાં સરકાર બનાવીશું, તો અમે રાજ્યની 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપીશું. જો એક પરિવારમાં 3 મહિલા સભ્યો હોય તો દરેકને 1,000 રૂપિયા મળશે. આ વિશ્વનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હશે. તેમણે આગળ કહ્યું, હું છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યો છું કે આજકાલ પંજાબમાં નકલી કેજરીવાલ ફરે છે, હું જે પણ વચન આપું છું, તે બે દિવસ પછી બોલે છે. પરંતુ તે કરતા નથી કારણ કે તે નકલી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પંજાબની બે દિવસીય મુલાકાતે અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ હાલમાં પંજાબના બે દિવસીય પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો પહેલો દિવસ છે જેમાં તેમણે મોગાથી તેમના ‘મિશન પંજાબ’ની શરૂઆત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘મિશન પંજાબ’ અંતર્ગત તેઓ આગામી એક મહિનામાં રાજ્યના ઘણા સ્થળોની મુલાકાત લેશે અને આમ આદમી પાર્ટી દ્વારા લોકો માટે ઉઠાવવામાં આવનાર પગલાની જાહેરાત કરશે.

આ પહેલા પાર્ટી તરફથી કેજરીવાલના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ મહિલાઓ માટે મોટી જાહેરાતો કરશે. તેઓ તેમના મોગા કાર્યક્રમ બાદ લુધિયાણામાં પાર્ટીની બેઠકમાં ભાગ લેશે. મંગળવારે તેઓ પાર્ટીના અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. કેજરીવાલે ગયા મહિને પણ પંજાબની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મનસા અને ભટિંડા જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી.

 

આ પણ વાંચો : Uttar Pradesh: સુગર મિલના ઉદ્ઘાટનમાં મંત્રી અજય મિશ્રાને મુખ્ય અતિથિ બનાવવા પર વિવાદ, રાકેશ ટિકૈતે આપી આંદોલનની ચેતવણી

આ પણ વાંચો : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે યોજાશે સર્વદળીય બેઠક, PM નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા

Next Article