VIDEO: શહીદ મેજરની અંતિમ યાત્રામાં જૂતા પહેરી પહોંચેલા મંત્રીઓ પર સ્થાનિકો ગુસ્સે ભરાયા, જૂતા ઉતાર્યા પછી પણ એક મંત્રી હસતા રહ્યાં

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે. તેમાં મેરઠના જવાન અજય કુમાર પણ શહીદ થયા હતા. શહીદ મેજરની અંતિમયાત્રા વખતે બનેલી એક ઘટનાના કારણે ત્યાં હાજર મંત્રીઓ અને નેતાઓએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.    શહીદ અજય કુમારના પાર્થિવ દેહને જ્યારે તેમના ગામમાં લાવવામાં આવ્યો ત્યારે લોકો ઉમટી પડયા. મંગળવારે અજય કુમારના અંતિમ […]

VIDEO: શહીદ મેજરની અંતિમ યાત્રામાં જૂતા પહેરી પહોંચેલા મંત્રીઓ પર સ્થાનિકો ગુસ્સે ભરાયા, જૂતા ઉતાર્યા પછી પણ એક મંત્રી હસતા રહ્યાં
| Edited By: | Updated on: Feb 20, 2019 | 7:03 AM

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે. તેમાં મેરઠના જવાન અજય કુમાર પણ શહીદ થયા હતા. શહીદ મેજરની અંતિમયાત્રા વખતે બનેલી એક ઘટનાના કારણે ત્યાં હાજર મંત્રીઓ અને નેતાઓએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. 

 

શહીદ અજય કુમારના પાર્થિવ દેહને જ્યારે તેમના ગામમાં લાવવામાં આવ્યો ત્યારે લોકો ઉમટી પડયા. મંગળવારે અજય કુમારના અંતિમ સંસ્કાર ગાજીયાબાદના નિવાડીમાં કરવામાં આવ્યા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં ઘણાં મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યાં હતા.

શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંઘ અને કેબિનેટ મંત્રી સિધ્ધાર્થનાથ સિંઘ, ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ અને ભાજપના અધ્યક્ષ વિનીત શારદા અને ઘણાં બીજા નેતાઓ હાજર રહ્યાં હતા. આ બધા નેતા અંતિમ સંસ્કારના સ્થળે ચંપલ પહેરીને પહોંચ્યા. ચંપલ પહેરીને બેઠેલા નેતાઓને જોઈને ગામના લોકોએ કહ્યું તે પછી નેતાઓએ ચંપલ કાઢ્યા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati

પરંતુ ખાસ લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંઘને. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોઝ અને ફોટોઝમાં સત્યપાલસિંઘ હસતા દેખાય છે તેના કારણે કહેવાઈ રહ્યું છે કે સ્થાનિક લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]