‘પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં’, બહેનને પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ રાહુલ ગાંધીનું નિવેદન

|

Oct 04, 2021 | 12:31 PM

કિસાન મોરચાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા અને અનેક ખેડૂતો ઘાયલ થયા હતા.

પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં, બહેનને પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi

Follow us on

કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જેઓ લખીમપુર ખેરી જતા હતા ત્યારે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ પાછા નહીં હટે અને ન્યાય માટે લડવાનું ચાલુ રાખશે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં – તેઓ તમારી હિંમતથી ડરી ગયા છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં, અમે દેશના અન્નદાતાને જીતાડીશું. ”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હરગાંવમાં ધરપકડ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિવિધ પક્ષોના ઘણા વિપક્ષી નેતાઓ પણ આજે લખીમપુર ખેરીની મુલાકાતે આવવાના છે. બઘેલનો આરોપ છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાની હરગાંવમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ધરપકડ સમયે પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લા જઈ રહી હતી.

બઘેલે ટ્વિટ કર્યું હતું કે, ‘AICC ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લખીમપુર જઈ રહ્યા હતા ત્યારે સીતાપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. દીપેન્દર હુડ્ડા પણ તેની સાથે છે. ખેડૂતોની હત્યા બાદ હવે લોકોના લોકશાહી અધિકારો પણ છીનવાઈ રહ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીના પુત્ર સામે આક્ષેપો
અનેક ખેડૂત સંગઠનોના સંયુક્ત સંગઠન કિસાન મોરચાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા અને અનેક ખેડૂતો ઘાયલ થયા હતા. જો કે, આશિષ મિશ્રાએ SKM ના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે ઘટના સ્થળ પર હાજર ન હતા. ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે રવિવારે લખીમપુર ખેરીની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે.

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેઓ તેમના નિવાસસ્થાનની બહાર લખીમપુર હિંસાનો વિરોધ કરી રહ્યા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે. અખિલેશ યાદવની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને ઈકો ગાર્ડન લઈ જઈ રહી છે.

 

આ પણ વાંચો : UP Lakhimpur Violence Update : અખિલેશ યાદવની લખમપુર હિંસાના વિરોધમાં ધરપકડ, લખનૌમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનમાં આગ લગાવી

આ પણ વાંચો : Haryana: CM મનોહર લાલ ખટ્ટરે ભાજપના કાર્યકરોને ખેડૂતો સામે ઉશ્કેર્યા ! કહ્યું ડંડા ઉઠાવો જેવા સાથે તેવા, જેલ જશો તો મોટા નેતા બનશો

Published On - 12:30 pm, Mon, 4 October 21

Next Article