PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી,સુત્રોનું માનીએ તો પીએમ મોદી સ્વ-સહાય જૂથો (Self Help Group members)સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા પણ બહાર પાડશે.
PM Narendra Modi interacts with women Self Help Group members/community resource persons promoted under Deendayal Antyodaya Yojana-National Rural Livelihoods Mission (DAY-NRLM) via video conferencing during ‘Atmanirbhar Narishakti se Samvad’. pic.twitter.com/B4SARhLrhh
— ANI (@ANI) August 12, 2021
ઉલ્લેખનીય છે કે,ભારતમાં મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથો( Self-help groups) છે, જે મહિલા સશક્તિકરણમાં મોટું યોગદાન આપી રહ્યા છે. PMએ વિવિધ સ્વસહાય જૂથોને વિકાસલક્ષી સહાય પણ બહાર પાડી છે,જેનાથી આ જૂથોની કામગીરીને પ્રોત્સાહન મળશે અને વધુ મહિલાઓ રાષ્ટ્રીય કલ્યાણમાં ( National Welfare)યોગદાન આપી શકશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તબક્કાવાર રીતે ગ્રામીણ ગરીબ પરિવારોને સ્વ-સહાય જૂથો(SHGs)માં એકત્રિત કરીને તેમની આજીવિકામાં વિવિધતા લાવવા તેમજ તેમની આવક અને જીવનની ગુણવત્તા સુધારવા માટે તેમને લાંબા ગાળાની સહાય પૂરી પાડવાનો છે.
આ પણ વાંચો: World Elephant Day 2021: શું તમે હાથીને માનવીય પ્રવૃતિ કરતા જોયા છે ? જુઓ Photos
Published On - 1:11 pm, Thu, 12 August 21