રાષ્ટ્રપતિ (India President) પદે ચૂંટાયેલા દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ (Droupadi Murmu oath live)અપાવ્યા. આ સાથે જ દેશને પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળ્યા. તેમના પહેલા 2007માં પ્રતિભા પાટીલ પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.શપથ ગ્રહણ કાર્યક્રમમાં (Droupadi Murmu oath ceremony LIVE)વડાપ્રધાન મોદી (PM Modi) સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રાઇ-સર્વિસ ‘ગાર્ડ ઓફ ઓનર’નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.
#WATCH President Droupadi Murmu inspects her first Guard of Honour after taking the oath, at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/T47qfSWHBu
— ANI (@ANI) July 25, 2022
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે વિદાય આપવામાં આવી છે. રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી રવાના થયા છે,તેઓ જનપથ રોડ પરના તેમના નવા નિવાસસ્થાને પહોંચ્યા.
#Delhi | Former President #RamNathKovind leaves from Rashtrapati Bhawan, arrives at his new residence on Janpath Road#TV9News pic.twitter.com/lYvkEi78Ab
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
દ્રૌપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને રાષ્ટ્રપતિ બનવા પર શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘રાષ્ટ્રે દ્રૌપદી મુર્મૂને ગર્વ સાથે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોયા. સમગ્ર ભારત માટે તે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. હું તેમને ખૂબ જ સારા રાષ્ટ્રપતિ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું.’
The entire nation watched with pride as Smt. Droupadi Murmu Ji took oath as the President of India. Her assuming the Presidency is a watershed moment for India especially for the poor, marginalised and downtrodden. I wish her the very best for a fruitful Presidential tenure. pic.twitter.com/xcqBqRt2nc
— Narendra Modi (@narendramodi) July 25, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા આપવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.
Delhi | Prime Minister @NarendraModi arrives at Rashtrapati Bhavan.#DroupadiMurmu #PresidentofIndia #TV9News pic.twitter.com/aS40VNPOSY
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદમાં શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યુ હતુ. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 21 તોપોની સલામી આપવામાં આવશે. તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર છે.
#WATCH | Delhi: President Droupadi Murmu receives a ceremonial salute at the forecourt of the Rashtrapati Bhavan. Former President Ram Nath Kovind also present with her. pic.twitter.com/2qtKnK0pKC
— ANI (@ANI) July 25, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હવે સંસદમાંથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન રામનાથ કોવિંદ તેમની સાથે જોવા મળ્યા. દ્રૌપદી મુર્મૂ હવે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ રામનાથ કોવિંદને વિદાય આપશે.
નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પ્રથમ સલામી આપવામાં આવી રહી છે.
દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ કહ્યું,’લોકશાહીની શક્તિએ મને અહીં સુધી પહોંચાડ્યા છે. મારા માટે મહિલાઓનુ હિત સર્વોપરી છે. ભારતે કોરોના સમયગાળા દરમિયાન ઘણા દેશોને મદદ કરી છે. આપણે નવા ભારત માટે કર્તવ્યના માર્ગ પર આગળ વધવાનું છે. વિશ્વને ભારત પાસેથી ઘણી આશાઓ છે.
દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું હતુ કે, “રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારા માટે આ ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત હતા, જેઓ આ પદથી દૂર હતા. વિકાસના લાભો, તેઓ ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં તેમનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે. આજે હું તમામ દેશવાસીઓને ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે મારા માટે તેમના હિત સર્વોપરી રહેશે. આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.
દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લીધા બાદ સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘લોકશાહીની શક્તિએ મને આ સુધી પહોંચાડી છે. મારા માટે દેશવાસીઓનું હિત સર્વોપરી છે. દરેકના પ્રયાસોથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. મને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ આપ સૌનો આભાર.
It is the strength of our democracy that a daughter born in a poor home, born in a remote tribal area, can reach the highest constitutional post of India :Smt Droupadi Murmu@rashtrapatibhvn #PresidentofIndia #draupadimurmuforpresident #TV9News pic.twitter.com/rP5Ry9rO2Q
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું, ’26 જુલાઈ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું દેશની સેનાઓને અને દેશના તમામ નાગરિકોને કારગિલ વિજય દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છુ.’
દ્રૌપદી મુર્મૂએ પોતાના ભાષણમાં કહ્યું, ‘હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા આપણે આ અમૃતકલમાં ઝડપી ગતિએ કામ કરવાનું છે. આ 25 વર્ષોમાં, અમૃતકલની પ્રાપ્તિનો માર્ગ બે પાટા પર આગળ વધશે -સૌનો સાથ સૌનો વિકાસ.’
I am the first President of the country who was born in independent India. We will have to speed up our efforts to meet the expectations that our freedom fighters had with the citizens of independent India: President Droupadi Murmu
(Source: Sansad TV) pic.twitter.com/dIkmQHqgiR
— ANI (@ANI) July 25, 2022
દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ મુર્મૂએ સંસદમાં સંબોધન કર્યું.
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદ ભવન પહોંચી ગયા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ સેન્ટ્રલ હોલમાં યોજાનાર છે. આ પહેલા સંસદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન પહોંચ્યા છે. થોડીવારમાં દ્રૌપદી મુર્મૂનો ભારતના 15 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
President-elect #DroupadiMurmu to take oath as the 15th President of India in #Parliament shortly#PresidentofIndia #draupadimurmuforpresident #TV9News pic.twitter.com/azx02loAtF
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
કોંગ્રેસ ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ સમારોહમાં ભાગ લેશે.
દ્રૌપદી મુર્મૂ અને રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ જવા માટે રવાના થયા છે.
Outgoing President #RamNathKovind and President-elect #DroupadiMurmu leave from #RashtrapatiBhavan for the Parliament.#TV9News pic.twitter.com/ohbn8hrF39
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો શપથ ગ્રહણ સમારોહ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં.
દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગઈ છે.જ્યાં રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
#Delhi | Outgoing President #RamNathKovind and his wife Savita Kovind extend greetings to President-elect #DroupadiMurmu at Rashtrapati Bhavan.
(Source: Rashtrapati Bhavan)#TV9News pic.twitter.com/qRDJDbbKRJ
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
સંસદ ભવન સુધી વિવિધ દેશોના રાજદ્વારીઓ પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દ્રૌપદી મુર્મુ તેમના નિવાસસ્થાનેથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા છે.
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ પછી તે સંસદમાં સંબોધન કરશે. આ દરમિયાન તેમને 21 તોપની સલામી આપવામાં આવશે.
આજે સવારે સંસદ ભવનમાં દ્રૌપદી મુર્મૂનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. આ પહેલા તેમણે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. આ સાથે જ તે સર્વોચ્ચ પદ સંભાળનાર દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનશે.
ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી.
President-elect #DroupadiMurmu pays tribute at Rajghat in Delhi.
(Pics Source: Sansad TV)#TV9News pic.twitter.com/d0CgK69d5c
— Tv9 Gujarati (@tv9gujarati) July 25, 2022
દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનની કારમાં રાજઘાટ જવા રવાના થયા છે, જ્યાં તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અપાશે.
દ્રૌપદી મુર્મુને લેવા માટે રાષ્ટ્રપતિ ભવનની ગાડીઓ તેમના ઘરે પહોંચીછે. પહેલા દ્રૌપદી રાજઘાટ જશે, જ્યાં તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.
શપથ સમારોહ પહેલા દ્રૌપદી મુર્મુ સવારે 8.30 વાગ્યે રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામના સંથાલ પરિવારમાં દ્રૌપદી મુર્મૂનો જન્મ થયો હતો. મુર્મૂનુ પ્રાથમિક શિક્ષણ ઉપરબેડા ગામની સ્કૂલમાં થયું. પિતા બિરંચી નારાયણ ટુડુ પુત્રીને ભણાવવા ભાર મૂક્યો હતો. પતિ અને બે પુત્રના નિધન બાદ દ્રૌપદી મુર્મૂએ પોતાના ઘરમાં જ બાળકોની સ્કૂલ શરૂ કરી હતી. અહીં આજે પણ બાળકો ભણે છે.
25 જુલાઈએ શપથ લેનારા મુર્મૂ 10મા રાષ્ટ્રપતિ બનશે. 1977 પછી દર વખતે 25 જુલાઈએ જ રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાય છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ શપથ લીધા હતા. તે દિવસે ભારત પ્રજાસતાક બન્યુ હતુ. બીજી વાર ચૂંટણી જીતીને તેઓ મે 1962 સુધી આ પદ પર રહ્યા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે, 1962ના રોજ શપથ લીધા અને 13 મે, 1967 સુધી આ હોદ્દે રહ્યા. ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહમદ તેમનો કાર્યકાળ પૂરો ના કરી શક્યા કારણ કે કાર્યકાળ દરમિયાન જ તેમના નિધન થયા હતા. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ 25 જુલાઈ, 1977ના રોજ શપથ લીધા. ત્યાર પછી જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરમન, શંકર દયાલ શર્મા, કે.આર. નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદે પણ 25 જુલાઈએ શપથ લીધા હતા.
ઓડિશાના રાયરંગપુરથી મુર્મૂના પરિવારજનો દિલ્લી પહોંચી ચૂક્યા છે. મુર્મૂના ભાભી સુકરી ટુડુ તેમના માટે સંથાલી સાડી લઈને આવ્યા છે. મુર્મૂ તે પહેરીને જ શપથ ગ્રહણ કરે એવી શક્યતા છે. પૂર્વ ભારતમાં સંથાલી સાડી ઉત્સવના દિવસે પહેરવામાં આવે છે. તેથી શપથ સમારોહમાં સંથાલી આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ દેખાઈ શકે છે.
Published On - 7:17 am, Mon, 25 July 22