PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- ભારત હંમેશા ‘વસુધૈવ કુટુંબકમ’ની કરે છે વાત

પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યો, ફરજની ભાવના જે તેમના પૂર્વજો ભારતમાંથી લઈ ગયા હોય છે, તે હંમેશા તેમના હૃદયના ખૂણામાં જીવંત રહેતા હોય છે.

PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમની કરે છે વાત
Prime Minister Narendra Modi
Image Credit source: Twitter
| Edited By: | Updated on: May 01, 2022 | 11:01 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રવિવારે રાત્રે કેનેડાના (Canada) મરખમ (Markham) માં સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સરદાર પટેલની પ્રતિમાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં ઓન્ટારિયોમાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરની ભૂમિકાથી આપણે સૌ પરીચિત છીએ. તમે તમારા આ પ્રયત્નોમાં કેટલા સફળ રહ્યા છો, તમે કેવી રીતે તમારી હકારાત્મક છાપ છોડી છે, મેં મારી કેનેડાની મુસાફરીમાં અનુભવ કર્યો છે.

પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યો, ફરજની ભાવના જે તેમના પૂર્વજો ભારતમાંથી લઈ ગયા હોય છે, તે હંમેશા તેમના હૃદયના ખૂણામાં જીવંત રહેતા હોય છે. કારણ કે ભારત એક રાષ્ટ્ર હોવા ઉપરાંત એક વિચાર પણ છે, સંસ્કૃતિ પણ છે. વિશ્વમાં જ્યાં પણ કોઈ ભારતીય રહે છે, પછી ભલે તે ગમે તેટલી પેઢીઓ રહે, તેની ભારતીયતા, ભારત પ્રત્યેની તેની વફાદારી થોડી પણ ઓછી થતી નથી. જે દેશમાં તે ભારતીય રહે છે, તે દેશની સેવા પૂરા સમર્પણ અને ઈમાનદારીથી કરે છે.

ભારત બીજાના નુકસાનની કિંમત પર પોતાના ઉત્થાનનું સ્વપ્ન જોતું નથી: પીએમ મોદી

વડાપ્રધાને કહ્યું કે ભારત તે શિર્ષ ચિંતન છે, જે ‘વસુધૈવ કુટુંબકમ’ વિશે વાત કરે છે. ભારત બીજાના નુકસાનની કિંમત પર પોતાના ઉત્થાનનું સ્વપ્ન જોતું નથી. ભારત સમગ્ર માનવતાની સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે. આજે આઝાદીના અમૃત ઉત્સવમાં આપણે એવું નવું ભારત બનાવવાનો સંકલ્પ લઈ રહ્યા છીએ. અમે સરદાર સાહેબના એ સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પને પુનરાવર્તિત કરી રહ્યા છીએ. આઝાદી પછી, સરદાર સાહેબે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો જેથી ભારતને તેના હજારો વર્ષોના વારસાની યાદ અપાવી શકાય જે નવી ઊંચાઈએ છે. ગુજરાત એ સાંસ્કૃતિક મહાયજ્ઞનું સાક્ષી બન્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને આગળ વધારીએ છીએ, ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિની નવી સંભાવનાઓ ખોલવાની વાત કરીએ છીએ. આજે જ્યારે આપણે યોગનો ફેલાવો કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના દરેક વ્યક્તિ માટે ‘સર્વે સંતુ નિરામયા’ની ઈચ્છા રાખીએ છીએ. જ્યારે પીએમ મોદીએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે આજે રાત્રે લગભગ 9 વાગ્યે હું કેનેડાના મરખમમાં એક કાર્યક્રમમાં પોતાની વાત શેર કરીશ, જ્યાં સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્રમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા પાછળનું કારણ સામે આવ્યુ, યાત્રા પહેલા પીએમે ખુદ ટ્વિટ કરીને આપી જાણકારી