PM MODI નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. શહેરી વિકાસ મંત્રી હરદીપ સૂરીએ જાણકારી આપી કે પીએમ મોદી 1 જાન્યુઆરી 2021ના રોજ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ , ગુજરાત અને તમિલનાડુમા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામા આવશે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સુરીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ‘ 1 જાન્યુઆરી 2021ના રોજ તમિલનાડુ , ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ત્રિપુરામા પીએમ મોદી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાયન્સ કરશે તેની બાદ તમામ લોકોને આવાસ મળવાના સપનાને પણ ગતિ મળશે
શહેરી વિકાસ અને આવાસ મામલોના મંત્રી હરદીપસિંહ સુરીએ જણાવ્યું છે આ અવસરે PMAY(U) અને ASHA ઈન્ડીયા એવોર્ડ ની જાહેરાત કરવામા આવશે.