30મી નવેમ્બરે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત, શરુ કરશે મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર

|

Nov 29, 2023 | 5:13 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓના નેતૃત્વમાં વિકાસ સુનિશ્ચિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રી ભરવા જઈ રહ્યા છે ત્યારે આ વખતે પીએમ મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તે મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન પ્રદાન કરશે જેથી તેઓ આજીવિકા આધાર માટે આ તકનીકનો ઉપયોગ કરી શકે.

30મી નવેમ્બરે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત, શરુ કરશે મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર
PM Modi will interact with the beneficiaries of Vikas Bharat Sankalp Yatra

Follow us on

30 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરશે. ગુરુવારને સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ વાતચીત કરશે. દેશભરમાં સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે, જેથી આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત સુધી સમયસર પહોંચી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓના નેતૃત્વમાં વિકાસ સુનિશ્ચિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રી ભરવા જઈ રહ્યા છે ત્યારે આ વખતે પીએમ મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તે મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન પ્રદાન કરશે જેથી તેઓ આજીવિકા આધાર માટે આ તકનીકનો ઉપયોગ કરી શકે.

મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન મળશે

સ્વ-સહાય જૂથોના વિકાસ માટે આ અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં મહિલા સ્વ-સહાય જૂથોને 15,000 ડ્રોન આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ઉડાડવા અને તેનો ઉપયોગ કરવા માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે. સરકારની આ પહેલથી કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જન ઔષધિ કેન્દ્રની સંખ્યામાં વધારો થશે

આરોગ્ય સંભાળને સસ્તું અને સરળતાથી સુલભ બનાવવી એ સ્વસ્થ ભારતના વડા પ્રધાનના વિઝનનો પાયાનો પથ્થર છે. આ દિશામાં એક મોટી પહેલ જન ઔષધિ કેન્દ્રની સ્થાપના એ છે કે જેથી સસ્તું ભાવે દવાઓ મળી રહે. કાર્યક્રમ દરમિયાન, પીએમ એઈમ્સ, દેવઘરમાં ઐતિહાસિક 10,000મા જન ઔષધિ કેન્દ્રને સમર્પિત કરશે. આ સાથે પીએમ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ પણ શરૂ કરશે.

PMએ 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી

તમને જણાવી દઈએ કે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવાની તેમજ જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાની આ બંને પહેલોની જાહેરાત વડાપ્રધાન દ્વારા આ વર્ષની શરૂઆતમાં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ કાર્યક્રમ આ વચનો પૂરા કરવાનું પ્રતીક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરશે. આ અવસર પર પીએમ મોદી મહિલા કિસાન ડ્રોન સેન્ટર લોન્ચ કરશે. તેઓ દવા કેન્દ્રોની સંખ્યા 10 હજારથી વધારીને 25 હજાર કરવાનો કાર્યક્રમ પણ શરૂ કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:13 pm, Wed, 29 November 23

Next Article