PM મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કરશે વાતચીત, સર્ટિફિકેટ સાથે મળશે 1 લાખ રૂપિયા

આ વર્ષે આવા 29 લોકોને આ એવોર્ડ આપવામાં આવશે. દરેક એવોર્ડ વિજેતાને મેડલ, 1 લાખ રૂપિયા રોકડ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે.

PM મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કરશે વાતચીત, સર્ટિફિકેટ સાથે મળશે 1 લાખ રૂપિયા
pm modi ( File photo)
| Edited By: | Updated on: Jan 24, 2022 | 8:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે બ્લોક ચેઈન ટેક્નોલોજીનો (Block Chain technology) ઉપયોગ કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ (PMRBP 2022)ના વિજેતાઓને ડિજિટલ સર્ટિફિકેટ આપશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PMRBP વિજેતાઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ભારતમાં રહેતા બાળકોને માન્યતા તરીકે આપવામાં આવે છે. ભારત સરકાર આ પુરસ્કારો હેઠળ નવીનતા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, શાળા ક્ષેત્ર અને બહાદુરીના ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને સન્માનિત કરે છે.

આ વર્ષે આવા 29 લોકોને આ એવોર્ડ આપવામાં આવશે. દરેક એવોર્ડ વિજેતાને મેડલ, 1 લાખ રૂપિયા રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે. ગયા વર્ષના બાલ પુરસ્કારના વિજેતાઓ જેઓ કોરોનાને કારણે ઓનલાઈન મોડમાં સમારંભ યોજ્યા પછી પ્રમાણપત્ર મેળવી શક્યા ન હતા, તેઓને પણ આ વખતે ડિજિટલ પ્રમાણપત્ર મળશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ એવોર્ડ માટે 32 બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા.

ગુરુવારે તમામ સચિવોને મોકલવામાં આવેલી એક સત્તાવાર જાણકારીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (WCD)ના સચિવ ઇન્દેવર પાંડેએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના કેસોને ધ્યાનમાં રાખીને એવોર્ડ સમારંભ ઓનલાઈન કરવામાં આવશે. વડાપ્રધાન દર વર્ષે આ પુરસ્કાર વિજેતાઓ સાથે પણ વાતચીત કરે છે. તે જ સમયે પીએમઆરબીપીના વિજેતાઓ દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ભાગ લે છે.

જોકે, કોરોનાને કારણે આ વર્ષે એવોર્ડ સમારોહ દિલ્હીમાં યોજાશે નહીં. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે, PM મોદી PMRBP 2022 ના વિજેતાઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બાળકો તેમના માતાપિતા અને તેમના સંબંધિત જિલ્લાના ડીએમ સાથે જિલ્લા મથકેથી હાજરી આપશે.

તમને જણાવી દઈએ કે બ્લોકચેન એક ઉભરતી ટેક્નોલોજી છે જે વિકેન્દ્રીકરણના સિદ્ધાંત પર કામ કરે છે. આનો અસરકારક અર્થ એ છે કે નિયંત્રણ કેન્દ્રીય એજન્સીના હાથમાં નથી. પરંતુ નોડ્સના વિતરિત નેટવર્કના હાથમાં છે. બ્લોકચેનમાં માહિતી તમામ સચોટ ડેટા સાથે ચોક્કસ ટાઇમસ્ટેમ્પ સાથે રેકોર્ડ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Banana Farming: ટીશ્યુ કલ્ચરમાંથી કેળાના રોપા તૈયાર કરીને ખેડૂતો કરે છે અઢળક કમાણી, જાણો ખેતીની સમગ્ર રીત

આ પણ વાંચો :Happy Birthday Subhash Ghai: 16માંથી 13 ફિલ્મ સાબિત થઈ બ્લોકબસ્ટર, કંઈક આવું હતું નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈનું ફિલ્મી કરિયર