12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય નાણા પ્રધાન અને RBI ગવર્નર પણ રહેશે હાજર

|

Dec 11, 2021 | 3:47 PM

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે.

12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય નાણા પ્રધાન અને RBI ગવર્નર પણ રહેશે હાજર
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 12 ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘Depositor First: ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (Guaranteed Time-Bound Deposit Insurance) પેમેન્ટ રૂ. 5 લાખ’ થીમ પર આધારિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમઓએ માહિતી આપી હતી કે તમામ પ્રકારના ખાતા જેમ કે સેવિંગ્સ, ફિક્સ, કરન્ટ અને રિકરિંગ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ (Deposit Insurance) હેઠળ આવે છે. આ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકો(Cooperative Banks)ના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે.

બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર વધાર્યુ

એક મોટા સુધારામાં, સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે. ડીપોઝિટ ઇન્સ્યોરન્સ કવરની મર્યાદા(Bank Cover Deposit Insurance) ને બેંક દીઠ પ્રતિ જમાકર્તા રૂ. 5 લાખ સુધી વધાર્યા પછી, ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા હતી. આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.

વચગાળાની ચૂકવણીનો પ્રથમ હપ્તો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે. રિઝર્વ બેંકે આ શહેરી સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે.

રૂ. 1,300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ એક લાખ થાપણદારોના વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1,300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ સમારોહમાં કેન્દ્રીય નાણા પ્રધાન, નાણા રાજ્ય પ્રધાન અને RBI ગવર્નર પણ હાજર રહેશે.

 

આ પણ વાંચોઃ માતાના નિર્ણયથી દીકરો પહોંચ્યો એકેડમી, દાદાનો ખાસ સહકાર, મુશ્કેલીમાં પિતા બન્યા કોચ, જાણો ભારતની અંડર-19 ટીમના કેપ્ટનની કહાની

આ પણ વાંચોઃ ખેડૂતોએ ડીસેમ્બર માસમાં વરિયાળી, જીરું, ઘાણા, મેથી, સુવા અને અજમા જેવા મરીમસાલાના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચોઃ Saryu Canal National Project: ”ભારત શોકમાં છે, પરંતુ પીડા સાથે આગળ વધશે” CDS બિપિન રાવતના નિધન પર વડાપ્રધાન મોદીનું નિવેદન

Next Article