
દેશના 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. વડાપ્રધાન પોતાના ભાષણમાં પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજનાની જાહેરાત કરી અને તેના વિશે જાણકારી આપી. જાણો આ મિશન શું છે .
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશમાં હાલ એવા ઘરો છે કે જેમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના જીવનનો મોટો સમય પાણી લાવવામાં જાય છે. આ સરકારે દરેક ઘરમાં પાણી, પીવાનું પાણી લાવવાનો સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં જળ જીવન મિશનને લઈને આગળ વધીશુ. તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને સાથે કામ કરશે. સરકારે 3.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાનને વધુમાં જણાવ્યું કે વરસાદનું પાણી રોકવા, દરિયાઈ પાણી, માઈક્રો ઈરિગેશન, પાણી બચાવવાનું અભિયાન, સામાન્ય નાગરિક સજાગ થાય, બાળકોને પાણીના મહત્વનું શિક્ષણ આપવામાં આવે. વડાપ્રધાને લોકોને વિશ્વાસ આપતા કહ્યું કે 70 વર્ષમાં જે કામ થયુ છે. આવનારા 5 વર્ષમાં તેનાથી વધારે કામ થાય તેના પ્રયત્નો આપણે કરવાના છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
પીવાના પાણીની સમસ્યા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે જૈન મુનિ મહુડીએ લખ્યુ છે કે ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે પાણી દુકાનોમાં વેચાશે. 100 વર્ષ પહેલા તેમને કહેલી વાત સાચી પડી છે. આજે આપણે દુકાનમાંથી પાણીની ખરીદી કરીએ છીએ. જળ જીવન મિશનનું આ અભિયાન સરકારી ના બનવુ જોઈએ. સામાન્ય નાગરિકનું અભિયાન બનવું જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]