Jhansi Railway Station: કેવુ હશે ઝાંસીનું રેલવે સ્ટેશન? વડાપ્રધાન મોદીએ શેયર કર્યો પ્લાન

Jhansi Railway Station: દેશમાં રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર પર ઝાંસીના રેલવે સ્ટેશનના રિડેવલમેન્ટનો પ્લાન શેયર કર્યો છે.

Jhansi Railway Station: કેવુ હશે ઝાંસીનું રેલવે સ્ટેશન? વડાપ્રધાન મોદીએ શેયર કર્યો પ્લાન
| Edited By: | Updated on: Mar 26, 2023 | 5:33 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી NDA સરકારે રેલવેના આધુનિકીકરણ માટે અને મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કરી રહી છે. હવે તેમાં ટ્રેનને અપગ્રેડ કરવાની વાત હોય કે પછી સ્ટેશનના રિડેવલપમેન્ટની, તમામ જગ્યાએ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવાનો સરકારનો પ્લાન છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે સ્ટેશન પર મળનારી સુવિધાઓ એરપોર્ટ જેવી હશે પણ મોંઘી નહીં હોય.

દેશમાં રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર પર ઝાંસીના રેલવે સ્ટેશનના રિડેવલમેન્ટનો પ્લાન શેયર કર્યો છે. આગામી દિવસમાં ઝાંસી રેલવે સ્ટેશનનો લુક એરપોર્ટ જેવો થઈ જશે અને તેમાં મળનારી સુવિધા ફાઈવ સ્ટાર હોટલ જેવી થઈ જશે. જો કે રેલવે સ્ટેશનને બનાવવામાં કેટલો ખર્ચ થશે તે વિશે અત્યાર સુધી કોઈ ખુલાસો થયો નથી.

આ પણ વાંચો: Kedarnath Yatra 2023: જો તમે પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો આ અહેવાલ ખાસ વાંચો

કેવુ હશે ઝાંસીનું રેલવે સ્ટેશન? વડાપ્રધાન મોદીએ શેયર કર્યો પ્લાન

આવુ હશે સ્ટેશન

  1. તમને જણાવી દઈએ કે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન’ થઈ ગયુ છે.
  2. આ સ્ટેશનનો લુક ઝાંસીની રાણીના મહેલના જેવો હશે.
  3. તેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મુસાફરોને મળશે.
  4. આ સ્ટેશનની બહાર હેરિટેજ વોક બનાવવામાં આવશે. જ્યાં લોકો ફરી શકશે.
  5. સ્ટેશનમાં મુસાફરોને રોકાવવા માટે વેટિંગ એરિયા બનાવવામાં આવશે. જ્યાં મુસાફરો રોકાઈ શકશે અને ટ્રેનની રાહ જોઈ શકશે.

સોમનાથ રેલ્વે સ્ટેશનને સોમનાથ મંદિર જેવુ રૂપ અપાશે

મહાશિવરાત્રિ પર્વ પૂર્વે રેલવેએ સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવુ રૂપ ટ્વિટર પર શેર કર્યુ હતું. જે જોવામાં સોમનાથ મંદિર જેવુ જ દેખાઈ રહ્યુ છે. રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગને મંદિર જેવી ડિઝાઈન આપવા માટે 157.4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રેલ્વે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સાઈટ સર્વે અને પાયાની તપાસનું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે. સ્ટેશન તૈયાર થવા પર મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.