Delhi: નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની 8મી બેઠક આજે રાજધાની દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની થીમ ‘વિકસિત ભારત’ હતી. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે જણાવ્યું કે બેઠકને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે અર્થવ્યવસ્થા ટેકઓફની સ્થિતિમાં છે. ટૂંક સમયમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને સંદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો: PM Modi: બાલાકોટ, સર્જિકલ સ્ટ્રાઈક, મોદી સરકારના આ 9 નિર્ણયોએ પાકિસ્તાનની તોડી નાખી કમર
પીએમ મોદીએ કહ્યું કે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. ડિજિટલ ક્ષેત્રમાં ઘણું કામ થઈ રહ્યું છે. અમારી પાસે અહીં મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ છે. પીએમએ મુખ્યમંત્રીઓને આ તકનો લાભ લેવા જણાવ્યું. PMએ ભારપૂર્વક કહ્યું કે તકને ઝડપી લેવી પડશે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે દુનિયાનું ધ્યાન ભારત પર છે.
પીએમ મોદીએ કહ્યું કે 40 કરોડ ભારતીયો માટે એક સમાન વિઝન અને એક સમાન વ્યૂહરચના હોવી જોઈએ. પીએમે જળ સંરક્ષણ માટે અમૃત સરોવર પર પણ ભાર મૂક્યો હતો. આ દરમિયાન પીએમએ 50 હજાર અમૃત સરોવર વિશે વાત કરી. તેમણે શારીરિક અનુશાસન વિશે વાત કરી અને કહ્યું કે આપણે ભાવિ પેઢી પર બોજ ન નાખવો જોઈએ.
#WATCH | “…If you don’t attend (the meeting) you miss out on the discussion, on the rich thinking. It is not as if we will boycott someone, we will work together. Govt of India forms policies and it is not as if the states who didn’t attend will be left out but loss is of those… pic.twitter.com/lGbIqNmQW3
— ANI (@ANI) May 27, 2023
બેઠકમાં પીએમ મોદીએ સ્વચ્છતા અંગે પણ ચર્ચા કરી હતી. પીએમની શરૂઆતની ટિપ્પણી પછી 8 એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે માત્ર રાષ્ટ્રીય વિઝન ન હોવું જોઈએ, રાજ્ય અને જિલ્લા સ્તરે પણ વિઝન હોવું જોઈએ. રાજ્ય કક્ષાએ ટીમો બનાવવી જોઈએ.