PM MODI આજે કિસાન સન્માન નિધિ અંતગર્ત ખેડૂતોને મળનારા નાણાકીય લાભનો આગામી હપતો આજે ચૂકવશે. . પીએમઓ કાર્યાલયના નિવેદન મુજબ પીએમ મોદી એક બટન દબાવીને એક સાથે નવ કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓને 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે., આ કાર્યક્રમ દરમ્યાન પીએમ છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરશે
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 25 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 કલાકે 9 કરોડ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાની સન્માન ની રકમ ટ્રાન્સફર કરશે. .
ઉલ્લેખનીય છે કે, આ ડિસેમ્બર 2018 થી ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાની સન્માન રકમ ટ્રાન્સફર કરાય છે. તેમજ જૂન 2019 થી જમીન ધરાવતા તમામ ખેડૂતોનો સમાવેશ કરાયો છે. કોરોના સંકટ દરમ્યાન પણ 43,000 કરોડથી વધુની સન્માન રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરાવાઈ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 60 લાખ ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે.
વડાપ્રધાન મોદી એ જણાવ્યું કેદેશભરનાં ખેડુતોએ જે રીતે મને સપોર્ટ કર્યો છે તેનાથી મને સંતોશ છે. આજે જે રીતે કિસાન સન્માન નિધિ યોજનાનો જેમને લાભ મળ્યો છે તેમને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. વજાપ્રધાને ખેડુતોને વચેટીયાનાં માધ્યમને છોડવા માટે અપીલ કરી હતી.
વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દા નથી બચી રહ્યા એટલે તે હવે ટોલટેક્સ કાઢવાની વાત કરે છે, આ જ વિરોધી લોકો સરકાર અને ખેડુતો વચ્ચેની વાતમાં રોડા બનીને રહી ગયા છે. જે જગ્યા પર તાજેતરમાં નાના ઈલેક્શન થયા છે ત્યાંની જનતાએ આવા વિરોધીઓને નકારી દીધા છે અને આ જગ્યા એ છે કે જે હાલમાં ચાલી રહેલી આંદોલનની જગ્યાની બાજુમાં જ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વોલીટી સાથે કેવોન્ટીટી જોઈતી હશે તો ભારતનાં ખેડુતો સાથે ભાગીદારી કરવી પડશે. ખેતીને આધુનિક બનાવવામાં આવી રહી છે. જે લોકો ખેડુતોને ગુમરાહ કરી રહ્યા છે તે લોકો આંદોલનનાં નામે ખેડુતોનાં ખભા પર બંદુક મુકીને ફોડી રહ્યા છે
વડાપ્રધાન મોદીએ ખેડુતોને માહિતિ આપતા જણાવ્યું હતું કે કંપનીએ એકવાર કોન્ટ્રાક્ટ પુરો થયા બાદ પાક સારો થયો તો તેને કમપનીએ બોનસ પણ ચુકવવું પડશે. જો લોકો એ ખેડુતોએ જમીન હડપી લીધી તે ખેડુતોની જમીન વિશે વાત કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદી એ જણાવ્યું કે ખેડુતો સાતે સરકાર તમામ સ્તરે તેમની સાથે જ ઉભી છે. ખેડુત MSP પર તેમનો પાક વેચી શકે છે. કૃષિનો એક વધુ નિયમ છે કે એગ્રીમેન્ટ કરવાવાળો વ્યક્તિ માર્કેટથી વાકેફ રહેશે. નવા કાયદા નવી શક્તિ પ્રમાણે. પોતાની મરજીથી કોઈ કોન્ટ્રાક્ટ ખતમ નહી કરી શકે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તમે તમારા પાકને જ્યાં પણ વેચવો હશે ત્યાં વેચી શકશો. દેશની કોઈ પણ મંડીમાં તે વેચી શકશો. MSP સમાપ્ત કરવાની અફવા ચાલી રહી છે. મંડી બંધ કરવાની વાત ખોટી છે. આ કાયદો લાગું થયાને ઘણો સમય થઈ ગયો છે પણ દેશમાં ક્યાંય પણ તે બંધ થયાની ખબર આવી છે?
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે પોતાને જીવતા રાખવા માટે જડીબુટ્ટી શોધી રહ્યા છે. જે લોકો વર્ષો સુધી સત્તામાં રહ્યા તેમણે ખેડુતોની ભાવના ક્યારેય સમજી નથી શક્યા
ખેડુતોનાં ખિસ્સામાં રેકોર્ડરૂપ પૈસા પહોચી રહ્યા છે. સ્વામિનાથન કમિટિની ફાઈલ પર અત્યારનાં આંદોલન કરનારાઓ બેસી ગયા હતા અમારી સરકારે આવી ને ખેડુતોનાં લાભમાં કામ કરવાનું શરૂ કર્યું છે. આજે દેશમાં 10 હજાર FPO બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દોઢ ગણાં ભાવે પાક વેચીને ખેડુતો લાભ મેળવી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજની સુવિધા મળી રહે તે માટે અમારી સરકાર કામ કરીરહી છે.
2014માં અમારી સરકાર બન્યા બાદ આધુનિક ખેતી પર અધ્યયન કરીને તેના પર કામ કરવાની શરૂઆત કરી. ખેડુતોને ખેતીમાં લાગતી કોસ્ટમાં ઘટાડો એટલે કે ઈનપુટ કોસ્ટને ઓછી કરવા માટે અમે મદદ કરી. આજે દેશનાં કરોડો ખેડુતોને કિસાન પાકવીમા યોજનાંનો લાભ મળી રહ્યા છે. અમારી સરકારે મામુલી પ્રિમિયમ લઈને મુસીબતમાં તેમને મદદ કરી છે.
નિર્દોષ ખેડુતોને ગુમરાહ ન કરે અને તેમના જીવન સાથે ખેલ ખેલવાનું વિપક્ષ બંધ કરે. પહેલાની સરકારની નીતિને કારણે ખેડુત કે જેમની પાસે ઓછી જમીન હતી તેમને વધારે નુક્શાન થયું છે. નાના ખેડુતોને તો પાણી, વિજળી નોહતી મળતી તેમને કોઈ આર્થિક મદદ નથી મળી રહી. દેશમાં ખેડુતોની સંખ્યા નાની નથી કે જેમને નુક્સાન થયું છે. જે લોકો આટલા વર્ષ સુધી સત્તા પર રહ્યા તેમણે 10 કરોડ ખેડુતોને નુક્શાન પહોચાડ્યું
દેશની અર્થનીતિને બરબાદ કરવાની વિપક્ષની ચાલ છે. સમાચારોમાં ચમકવા માટે ખોટી રાજનીતિ થઈ રહી છે. જે લોકોએ પશ્ચિમ બંગાળને બરબાદ કરી નાખ્યું તેમને પુછવા માગુ છું કે કેરળમાં APMC ક્યારે ચાલુ કરાવશો? બેધારી નીતિ કેમ? ખોટા આરોપ અને અફવા ફેલાવવામાં આવી રહ્યા છે
વજાપ્રધાન મોદીએ સંવાદ વચ્ચે જણાવ્યું કે મમતા બેનરજી સરકાર પોતાના ખેડુતોને મળતો લાભ રાજનીતિક કારણથી અટકાવી રહી છે. જે ખેડુતોએ કેન્દ્ર સરકારને સીધા પત્ર લખ્યા છે તેમને પણ મદદરૂપ નથી થવા દેતી. એટલે જ 70 લાખ ખેડુતોને તેનો લાભ નથી મળતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુડ ગવર્નન્સ આજ છે કે હજારો કરોડો રૂપિયા સીધા ખેડુતોનાં ખાતામાં જાય છે. કોઈ હેરાફેરી નહી કોઈ કમિશન નથી. રાજય સરકારનાં માધ્યમથી ખેડુતોનું રજીસ્ટ્રેશન થયા બાદ આ સિસ્ટમ ડેવલપ થઈ છે. બધા લોકો જોડાયા પણ પશ્ચિમ બંગાળનાં ખેડુતો લાભ નથી લઈ શકતા કેમકે ત્યાંની સરકાર રાજનીતિક કારણથી તેમના ખેડુતોને ઉપસાવી રહ્યા છે.
ખેડુતોને આજે જે સન્માન નિધિ મળી છે તે સાથે ઘણાં પ્રસંગો એક સાથે આજે આવ્યા છે. ક્રિસમસનો આજનો તહેવાર, સાથે ગીતા જયંતિ, ભારત રત્ન મદન મોહન માલવિયા, અટલબિહારી વાજપેઈજીની જન્મજયંતિ છે. અટલજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે અર્પણ કરી દીધુ. ગ્રામ્ય અને ગરીબો માટે જ તેમણે પ્રાધાન્ય આપ્યું. રાષ્ટ્રજીવનમાં બદલાવ તેમણે લાવ્યો . જે ખેતી સુધારાને તમે જોઈ રહ્યા છે તે તેમની દેન છે.
ઉત્તરપ્રદેશનાં ખેડુતે વાત કરતા જણાવ્યું કે શાકભાજી અને ઘઉંની ખેતી કરી રહ્યા છે. નાની જમીન પર 10 લોકોનું પરિવાર ચલાવવા પર ખેડુતે જણાવ્યું કે અને 100 ખેડુતોનું FPO બવાન્યું છે કે જેમાં અમદાવાદની કંપની સાથે પાકનો કોન્ટ્રાક્ટ કર્યો છે. નાના ખેડુતોએ ભેગા મળીને 300 ખેડુતો થયા છે. અમદાવાદની કંપની સાથે 25 રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો છે. પહેલા સ્થાનિક માર્કેટમાં 10 રૂપિયા મળતા હતા. અને તેને લઈને કોઈ જમીન નથી જતી રહેતી.
તમીલનાડુનાં ખેડુતે જણાવ્યું કે 4 સદસ્ય મળીને ખેતી કરી રહ્યા છે. 4 એકર જમીનમાં ટમેટા અને ગુલાબ લઈ રહ્યા છે. ખેડુતે જણાવ્યું કે નવું બિલ રાહતદાયક છે. તેમણે થઈ રહેલી રાજનીતિનો વિરોધ કર્યો હતો.
મધ્યપ્રદેશનાં ખેડુતે પોતાના વિચારો વડાપ્રધાન સામે રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકાર સન્માન નિધિ પાંચ વાર મળી છે. તેમાંથી ખાતર અને બીજ તેમજ ટ્રેક્ટરનું ભાડું ચુકવવામાં સરળતા રહે છે. વડાપ્રધાને પુછ્યું કે નવા કૃષિ બીલથી શું ફાયદો થાય છે? તે સામે જવાબ આપતા જણાવ્યું કે પહેલા મંડીમાંજ વેચવો પડતો પાક બીજા વેપારીને પણ વેચી શકાય છે. પૈસા એક દિવસ પહેલા અથવા તે જ દિવસે મળી જાય છે. અમારી સામે જ પાકનું પરિક્ષણ પણ કરવામાં આવે છે. વડાપ્રધાને પુછ્યું કે રાજનીતિ થઈ રહી છે તે સામે ખેડુતે કહ્યું કે અમારી સામે જ પાક ચેક કરે છે એટલે નુક્સાનની વાત જ નથી. નવી વ્યવસ્થા સામે મને આનંદ છે.
મહારાષ્ટ્રનાં ખેડુત દ્વારા જણાવવામાં આવ્યું કે તે ખેતી સાથે પશુપાલન સારી રીતે કરી રહ્યા છે. વડાપ્રધાને પુછ્યું કે પાક વીમા યોજનાનો લાભ મળ્યો છે? ખેડુતે કહ્યું કે આ યોજનાં માં 2580માં પ્રિમિયમ ભર્યું જે સામે મારી ખેતીમાં નુક્શાન સામે 54 હજાર વળતર રૂપે મળ્યું. આ તમામ ખેડુતોને ગામમાં ખબર છે કે આ પાકવીમા યોજના ખુબ સારી છે.
વડાપ્રધાનની સવાલનાં જવાબમાં હરિયાણાનાં ખેડુતે કહ્યું કે 3 એકર માં લીંબુ, 7 એકરમાં જમરૂખ વાવ્યા છે. તેમણે કહ્યું કે તેના સારા ભાવ મળી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે તને પરંપરાગત ખેતીમાંથી બહાર આવ્યા તે સારી વાત છે.
વડાપ્રધાન મોદી એ કહ્યું કે નાના ખેડુતોને સમજાવો કે KCC કાર્ડ નથી મળ્યો તો તે લેવા માટે વિનંતી કરજો, પોતાના બાળકો માટે પૈસા વાપરજો અને વધારે વ્યાજ પર પૈસા ન લેતા
PM MODIએ શરૂ કર્યો અરૂણાચલ પ્રદેશનાં ખેડુતો સાતે સંવાદ કે જેમાં ખેડુતોએ કહ્યું કે તેમણે જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે તે તેમની જમીન નથી લઈ જઈ રહ્યા. વડાપ્રધાને કહ્યું કે સારૂ થયું તમે ભ્રમ દુર કર્યો કે પાક ખરીદનારા જમીન નથી લઈ જઈ રહ્યા
PM MODI આજે કિસાન સન્માન નિધિ અંતગર્ત ખેડૂતોને મળનારા નાણાકીય લાભનો આગામી હપતો આજે ચૂકવ્યો . બટન દબાવીને એક સાથે નવ કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓને 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા., આ કાર્યક્રમ દરમ્યાન પીએમ છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરશે
PM MODI આજે કિસાન સન્માન નિધિ અંતગર્ત ખેડૂતોને મળનારા નાણાકીય લાભનો આગામી હપતો આજે ચૂકવશે. . પીએમઓ કાર્યાલયના નિવેદન મુજબ પીએમ મોદી એક બટન દબાવીને એક સાથે નવ કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓને 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે., આ કાર્યક્રમ દરમ્યાન પીએમ છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરશે.
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 25 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 કલાકે 9 કરોડ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાની સન્માનની રકમ ટ્રાન્સફર કરશે.
Published On - 11:26 am, Fri, 25 December 20