આ મંદિરના દેવી વિશે એક પૌરાણિક માન્યતા છે કે, જ્યારે અંધકાસુર નામના રાક્ષસને બ્રહ્મા પાસેથી અદ્રશ્ય થવાનું વરદાન મળ્યું તો તેણે ખૂબ જ અત્યાચાર કરવાનું શરૂ કર્યુ. જેથી ભગવાન શિવે પોતાની શક્તિઓથી યોગેશ્વરીની રચના કરી અને પોતાના હાથે આ રાક્ષસનો અંત કર્યો. યોગેશ્વરીની સાથે 7 દેવીઓ બ્રાહ્મી, મહેશ્વરી, કૌમરી, વૈષ્ણવી, વારાહી, ઈન્દ્રાણી અને ચામુન્ડી હતી. આ દેવીઓને હાસન એટલુ પસંદ આવ્યુ કે તેઓ અહીં રહેવા લાગી.