પથ્થરબાજને નહી મળે સરકારી નોકરી, નહી જઈ શકે વિદેશ

અધિકારીઓને તમામ પુરાવા એકત્રિત કરવા અને તપાસવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના ભંગના કોઈ પણ સંજોગોમાં સામેલ વ્યક્તિઓને સુરક્ષા મંજૂરી આપવી જોઈએ નહીં.

પથ્થરબાજને નહી મળે સરકારી નોકરી, નહી જઈ શકે વિદેશ
પ્રતીકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:35 PM

જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) વહીવટીતંત્રે કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ સામે લડવા માટે પગલાં ભર્યા છે. અહેવાલો અનુસાર, સીઆઈડીની વિશેષ શાખાએ તમામ એકમોને નિર્દેશ આપ્યો છે કે પથ્થરમારો અને રાજ્યની સુરક્ષાને હાનિકારક અન્ય ગુનાઓ માટે સુરક્ષા મંજૂરી આપવામાં ન આવે.

આ સિવાય અધિકારીઓ તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં લેશે. પરિપત્રમાં, CID એ તેની વિશેષ શાખાને પાસપોર્ટ, સેવાઓ અને સરકારી યોજનાઓની અન્ય ચકાસણી સંબંધિત ચકાસણી દરમિયાન વ્યક્તિઓના ઇતિહાસની ખાસ નોંધ લેવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક પોલીસ સ્ટેશનના રેકોર્ડમાંથી આની પુષ્ટિ થવી જોઈએ.

અધિકારીઓને તમામ પુરાવા એકત્રિત કરવા અને તપાસવા કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો
આ સિવાય અધિકારીઓને તમામ પુરાવા એકત્રિત કરવા અને તપાસવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના ભંગના કોઈ પણ સંજોગોમાં સામેલ વ્યક્તિઓને સુરક્ષા મંજૂરી આપવી જોઈએ નહીં. આ સાથે, તેઓ સરકારી નોકરીઓથી પણ વંચિત રહેવું પડશે.

અગાઉ ગત મહિનામાં જુલાઈમાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ હિઝબુલ મુજાહિદ્દીન ચીફ સૈયદ સલાહુદ્દીનના બે પુત્રો સહિત 11 સરકારી કર્મચારીઓને કાઢી મૂકવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન, કિશ્તવાડમાં કલમ 370 હટાવવાની વર્ષગાંઠ પહેલા અને ઘાટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પોલીસે શહેરમાં સક્રિય ટોચના વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટરો પણ લગાવ્યા છે. આ સાથે પોલીસે આતંકવાદીઓ સાથે જોડાયેલી માહિતી આપનારને 30 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : પી.વી સિંધુએ ચીનની હી બિંગજિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, સતત બે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

આ પણ વાંચો : Rajkot : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી જવાબદારી મુક્ત થવાનો કુંવરજી બાવળિયાનો નિર્ણય