Parliament Building Event: સેંગોલ પર વિવાદ, હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસને આપ્યા પુરાવા

|

May 27, 2023 | 7:35 AM

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ રીતિ-રિવાજો મુજબ સેંગોલનું સ્વાગત કર્યું હતું. હવે આ લોકો આ સેંગોલનું અપમાન કરી રહ્યા છે. દંભ પૂરજોશમાં છે. સેંગોલને અલગ-અલગ રંગોમાં રંગવાના પ્રયાસો થઈ રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે.

Parliament Building Event: સેંગોલ પર વિવાદ, હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસને આપ્યા પુરાવા
Hardeep singh puri

Follow us on

બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન સેંગોલને સ્પીકરની ખુરશી પાસે રાખવામાં આવશે. પહેલા ઉદ્ઘાટનને લઈને તો હવે સેંગોલને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે સરકારે સેંગોલ વિશે ખોટા તથ્યો રજૂ કર્યા છે, જેના વિશે આટલી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દાવો કર્યો છે કે સેંગોલની ઐતિહાસિકતાના ઈતિહાસમાં કોઈ પુરાવા નથી.

આ પણ વાંચો: CKS vs GT, IPL 2023 Final : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થશે ટાઈટલની ટક્કર, રવિવારે અમદાવાદમાં ચેમ્પિયન માટે મહાસંગ્રામ

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

જયરામ રમેશના આ દાવા અંગે હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. હરદીપ સિંહ પુરીએ દાવો કર્યો છે કે વર્ષ 1947માં અમેરિકાના ટાઈમ મેગેઝીનમાં એક લેખ છપાયો હતો અને જે લોકો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે તેઓએ આ લેખ વાંચવો જોઈએ અને માહિતી મેળવવી જોઈએ કે ‘સેંગોલ’ શેનું પ્રતીક છે. છેવટે, વર્ષ 1947 માં શું થયું હતું.

મગરના આંસુ વહાવી રહ્યા છે – પુરી

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ રીતિ-રિવાજો મુજબ સેંગોલનું સ્વાગત કર્યું હતું. હવે આ લોકો આ સેંગોલનું અપમાન કરી રહ્યા છે. દંભ પૂરજોશમાં છે. સેંગોલને અલગ-અલગ રંગોમાં રંગવાના પ્રયાસો થઈ રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે.

પુરીએ કહ્યું કે આ લેખ એવા લોકોએ વાંચવો જોઈએ જેઓ એવું વિચારે છે કે પીએમ મોદીને બદલે તેમણે સંસદની નવી ઇમારત બનાવી છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે લોકશાહીના મંદિરનો બહિષ્કાર કરવાનું બંધ કરો.

સેંગોલને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યુ હતુ – પુરી

પુરીએ લેખને ટાંકીને દાવો કર્યો હતો કે 1947માં આઝાદીની પૂર્વ સંધ્યાએ હવન કરવામાં આવ્યો હતો અને રેશમ અને સોનાથી બનેલા પીતામ્બરમને પીએમની આસપાસ વીંટાળવામાં આવ્યા હતા. આ દરમિયાન સેંગોલને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article