પેઈન્ટરે ખાસ અંદાજમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપી શુભેચ્છા, બનાવી 7 ફૂટ લાંબી પેઈન્ટિંગ, કહ્યું ‘રાષ્ટ્રપતિ ભવનમાં લાગે તેવી આશા’

|

Jul 25, 2022 | 4:33 PM

દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે 'હું ભારતના તમામ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતીક એવા આ પવિત્ર સંસદ ભવન તરફથી તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું.

પેઈન્ટરે ખાસ અંદાજમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપી શુભેચ્છા, બનાવી 7 ફૂટ લાંબી પેઈન્ટિંગ, કહ્યું રાષ્ટ્રપતિ ભવનમાં લાગે તેવી આશા
Droupadi Murmu painting
Image Credit source: ANI

Follow us on

પંજાબના અમૃતસર જિલ્લાના કલાકાર જગજોત સિંહ રૂબલે દેશના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું (Droupadi Murmu) સાત ફૂટ ઊંચું પેઈન્ટિંગ બનાવ્યું છે. તેમને અભિનંદન આપવા માટે આ પેઈન્ટિંગ બનાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પેઈન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે. દ્રૌપદી મુર્મુએ આજે ​​સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. મુર્મુએ હિન્દીમાં પદના શપથ લીધા.

દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે ‘હું ભારતના તમામ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતીક એવા આ પવિત્ર સંસદ ભવન તરફથી તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું. મારી આ નવી જવાબદારી નિભાવવામાં તમારી લાગણી, તમારો વિશ્વાસ અને તમારો સહયોગ મારી મોટી તાકાત બની રહેશે. તમારો મત દેશના કરોડો નાગરિકોની આસ્થાની અભિવ્યક્તિ છે.

દ્રૌપદી મુર્મુએ શપથ લીધા પછી શું કહ્યું

મુર્મુએ કહ્યું ‘દેશ દ્વારા મને એવા મહત્વપૂર્ણ સમયગાળામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવી છે, જ્યારે આપણે આપણી આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને આજથી થોડા જ દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે.’ આ એક સંયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને આજે આઝાદીના 75માં વર્ષમાં તેમને આ નવી જવાબદારી મળી છે.

હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો: મુર્મુ

રાષ્ટ્રપતિએ કહ્યું ‘હું દેશની પહેલી રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા આપણે આ અમૃતકાળમાં ઝડપી ગતિએ કામ કરવું પડશે. પરંતુ આગળ વધીશું. મુર્મુએ કહ્યું, ‘રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને પૂરા કરી શકે છે.

Next Article