Opposition Meeting In Patna: બિહારની રાજધાની પટનામાં 23 જૂને વિપક્ષની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક 2024ની લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષોને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોંગ્રેસ પાર્ટીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની અપીલ કરી હતી. સીએમને લાગે છે કે દિલ્હીને લઈને કેન્દ્રના વટહુકમ પર બેઠકમાં ચર્ચા થવી જોઈએ. કેજરીવાલે કોંગ્રેસ (Congress) સહિત વિપક્ષી પાર્ટીઓ પાસેથી સમર્થન માંગ્યું છે.
વિપક્ષની પટના બેઠકમાં આમ આદમી પાર્ટીને બોલાવવામાં આવી છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને લાગે છે કે બેઠકનો પહેલો એજન્ડા કેન્દ્રનો વટહુકમ હશે. આ દિલ્હીની અંદર લોકશાહીને ખતમ કરવા માટે છે. તેમણે કહ્યું કે તેઓ મીટિંગમાં બંધારણની કોપી લઈ જશે અને દરેકને સમજાવશે કે દિલ્હી અડધુ રાજ્ય છે, તેથી એવું ન વિચારો કે અન્ય રાજ્યો માટે વટહુકમ નહીં આવે. આ વટહુકમ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ગમે ત્યાં આવી શકે છે.
બેઠકની તારીખ 23 જૂન નક્કી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પટનાની બેઠકમાં 17-18 વિપક્ષી દળો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ, JDU, RJD, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તમામ ડાબેરી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેનાના ઉદ્ધવ જૂથ, ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સહિત 17-18 વિરોધ પક્ષો બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દરમિયાન ભાજપ વિરુદ્ધ 2024ની રણનીતિ, વિપક્ષી એકતા અને તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
#WATCH | Delhi CM Arvind Kejriwal says, “I hope all parties in that meeting (Opposition meeting on 23rd June) ask Congress to clear its stand. I think the first agenda of that meeting will be Centre’s ordinance that ends democracy in Delhi. I will carry a copy of Constitution… pic.twitter.com/anhjSF6Zum
— ANI (@ANI) June 20, 2023
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી દળોને એક થવાની આશા સાથે પટનામાં બેઠક બોલાવી હતી. અગાઉ આ બેઠક 12 જૂને યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસ સહિત પાર્ટીના કેટલાક નેતાઓએ હાજરી આપવા અસમર્થતા દર્શાવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ વિદેશ પ્રવાસે હતા. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને પણ અંગત પ્રસંગોને કારણે બેઠક સ્થગિત કરવાની વિનંતી કરી હતી.