Amit Shah JK Visit : જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે જ 70 વર્ષ રાજ કર્યુ, રાજૌરીમાં પહેલીવાર જાહેરસભા કરતા અમિત શાહ

|

Oct 04, 2022 | 3:40 PM

ગૃહમંત્રીએ કહ્યું,આજની આ જાહેરસભામાં ઉમટેલી જનમેદની કલમ 370નું સમર્થન કરનારાઓને યોગ્ય જવાબ છે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટશે તો પીર પંજાલમાં આગ લાગશે, પરંતુ ઘાટીમાં શાંતિ છે.

Amit Shah JK Visit : જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે જ 70 વર્ષ રાજ કર્યુ, રાજૌરીમાં પહેલીવાર જાહેરસભા કરતા અમિત શાહ
Union Home Minister Amit Shah visit to Jammu Kashmir
Image Credit source: ANI

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહે મંગળવારે માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી રાજૌરી પહોંચ્યા અને જનસભાને સંબોધિત કરી. ગૃહમંત્રીએ કહ્યું કે, ગૃહમંત્રીએ કહ્યું, આજની આ જાહેરસભામાં ઉમટેલી જનમેદની કલમ 370નું સમર્થન કરનારાઓને યોગ્ય જવાબ છે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટશે તો પીર પંજાલમાં આગ લાગશે, પરંતુ ઘાટીમાં શાંતિ છે. અમિત શાહે પહાડી અને ગુર્જર બકરવાલને પણ અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું- મહાભારત કાળની આ પહાડીઓ ભારતની સરહદોની મજબૂત રક્ષક છે. જ્યારે પણ દેશ સંકટમાં હતો ત્યારે પહાડી અને ગુર્જર બકરવાલ ખડકની જેમ ઉભા હતા. તમે ભારતની સુરક્ષાનું અભેદ્ય દ્વાર બનાવ્યું છે અને હવે આખો દેશ તેના દ્વારા સલામત રીતે સૂઈ રહ્યો છે. શાહે લેફ્ટનન્ટ ગવર્નરને મહારાજા હરિ સિંહની જન્મજયંતિ પર રજા આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વીર બંદા બહાદુરને પણ યાદ કર્યા. રાજૌરી તેમની જ જમીન છે.

ત્રણ પરિવારોએ જ જમ્મુ-કાશ્મીર પર 70 વર્ષ સુધી શાસન કર્યું

તેમણે કહ્યું, ‘J&Kમાં 70 વર્ષ સુધી ત્રણ પરિવારોનું શાસન હતું, લોકશાહી તેમના પરિવારોમાં જ બંધાઈ હતી. શું તમને બધાને ક્યારેય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો અધિકાર મળ્યો છે ? ત્રણ પરિવારોએ માત્ર પેઢીઓ સુધી શાસન કરવા માટે લોકશાહી, જમ્હૂરિયતનો અર્થ કાઢી નાખ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકારે સૌપ્રથમ પંચાયત ચૂંટણી કરાવી

અમિત શાહે કહ્યું કે, ‘દેશમાં સરકાર બદલાઈ, નરેન્દ્ર મોદીજી 2014થી વડાપ્રધાન બન્યા, પછી મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ પંચાયતની ચૂંટણી કરાવી. પહેલા જે માત્ર ત્રણ પરિવાર સાથે હતું, આજે જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર લોકોનું પંચાયતસ્તરે શાસન આવી ગયું છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1.62 કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

ગૃહમંત્રીએ કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1 કરોડ 62 લાખ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા છે. 4766 આતંકવાદી ઘટનાઓ, કલમ 370 નાબૂદ થયા પહેલાના આંકડા છે. 2019 થી 2022 સુધી 721 આતંકવાદી ઘટનાઓ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોના હાથમાંથી પથ્થર લઈને લેપટોપ આપવાનું કામ કર્યું છે.

ઘાટીમાંથી પણ કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી બની શકે છે

તેમણે કહ્યું, “આઝાદીથી લઈને 2019 સુધી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં 15,000 કરોડ રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ આવ્યું હતું. 2019 થી અત્યાર સુધીના માત્ર ત્રણ વર્ષમાં સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં 56 હજાર કરોડ રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ આવ્યું છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનો સંપૂર્ણ વિકાસ ઈચ્છે છે. ઘાટીમાંથી કોઈપણ વ્યક્તિ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ બની શકે છે.

Published On - 2:03 pm, Tue, 4 October 22

Next Article