Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ”ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં”

|

Dec 05, 2021 | 7:38 PM

વરિષ્ઠ રેડિયોલોજીસ્ટ ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ જાતે જ અનુમાનના આધારે કોઈ દવા ન લેવી જોઈએ''

Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં
Symbolic Photo

Follow us on

દેશમાં નવા ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)ની એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. કોરોના (Corona)ની બીજી લહેર દરમિયાન એવું જાણવા મળ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ (Infected patients)ના ફેફસાં ખરાબ રીતે પ્રભાવિત થાય છે. ત્યારે નવો વેરિઅન્ટ આવતા મોટો પ્રશ્ન એ છે કે શું તે પહેલાની જેમ ફેફસાંને અસર કરશે. વરિષ્ઠ રેડિયોલોજિસ્ટ (Radiologist) ડૉ. સંદીપ શર્માએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી જે ઓમિક્રોન જોવા મળી રહ્યો છે, તેની ફેફસાં પર એટલી ખરાબ અસર જોવા મળી નથી.

 

HRCT ટેસ્ટ ટાળવાની જરૂર

કોરોનાની બીજી લહેરમાં એવું જોવામાં આવ્યું કે મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટમાં પણ દર્દીને કોવિડ છે કે નહીં તે જાણવા મળતુ ન હતુ. આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ દ્વારા દર્દીને કોવિડ છે કે નહીં તે જાણી શકાતુ હતુ. જો કે ડો.સંદીપ શર્માએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રકારની નવી વેરિઅન્ટ સિસ્ટમ છે, તેમાં કોઈપણ પ્રકારની HRCT ટેસ્ટ ટાળવાની જરૂર છે.

 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

હળવી સિસ્ટમમાં HRCT ટેસ્ટ જરૂરી નથી

ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે જો કોરોનાનો કોઈ પ્રકાર આવે છે અને કેસ હળવો છે તો HRCT ટેસ્ટની જરૂર નથી. જો તમને તાવ આવે છે તો તમારા ડૉક્ટર છાતીનો એક્સ-રે જોઈને જ કહી શકે છે કે રોગની સ્થિતિ શું છે, આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ કરાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે શક્ય છે કે આવનારા દિવસોમાં જો વાયરસ વધુ મ્યુટેશન કરે અને તેનું સ્વરૂપ બદલી નાખે તો એ જોવાનું રહેશે કે બદલાયેલા મ્યુટેશનમાં વાયરસ કેટલો ખતરનાક છે.

 

સમયસર ડૉક્ટર પાસે જાઓ

ડૉક્ટર સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ અનુમાન પ્રમાણે જાતે કોઈ દવા ન લેવી જોઈએ. અત્યાર સુધી દેશમાં એવી કોઈ સ્થિતિ નથી આવી, જેમાં દર્દીને HRCTC ટેસ્ટની જરૂર હોવાનું જાણવા મળે. આવી સ્થિતિમાં ડરવા કરતાં વધુ સતર્ક રહેવું જરૂરી છે.

 

 

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

 

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

 

Next Article