Omicron Variant: કેન્દ્રના એલર્ટ બાદ રાજ્ય સરકારોએ વધારી કડકાઈ, જાણો ગુજરાત સહીત કયા રાજ્યમાં કેટલા બદલાયા નિયમો

|

Nov 28, 2021 | 11:00 AM

કર્ણાટક સરકારના પરિપત્ર મુજબ, દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને જેઓ પોઝિટિવ જણાય છે તેમણે 10 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

Omicron Variant: કેન્દ્રના એલર્ટ બાદ રાજ્ય સરકારોએ વધારી કડકાઈ, જાણો ગુજરાત સહીત કયા રાજ્યમાં કેટલા બદલાયા નિયમો
Omicron Variant (Symbolic image)

Follow us on

વિશ્વભરના દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ (Variant) ‘ઓમિક્રોન’ના (Omicron) નવા કેસ સામે આવ્યા બાદ અને કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા બાદ રાજ્ય સરકારોએ  (State Government) સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ યાદીમાં કર્ણાટક (Karnataka), મહારાષ્ટ્ર (Maharashtra), ગુજરાત (Gujarat) અને કેરળે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો વધુ કડક બનાવ્યા છે. કેટલાક ચોક્કસ દેશથી ભારતમાં આવનારા પ્રવાસીઓએ, જે તે રાજ્યમાં પ્રવેશ કરતી વખતે આ મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

આ સાથે દેશની રાજધાની દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોએ વહીવટી અધિકારીઓને આ બાબતે કડક વલણ અપનાવવા જણાવ્યું છે. કર્ણાટકની SDM કોલેજમાં કોવિડ વિસ્ફોટ બાદ કર્ણાટક પહેલાથી જ નવી કડક માર્ગદર્શિકા જારી કરી ચૂકી છે.

કર્ણાટકની માર્ગદર્શિકા
કર્ણાટક સરકારે રાજ્યમાં વધતા કોરોના કેસ અને નવા તાણ ‘ઓમિક્રોન’ની ચિંતા વચ્ચે સાવચેતીના પગલાં લીધા છે. એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોની સ્ક્રીનિંગ સઘન કરવામાં આવી છે. પરિપત્રમાં જણાવાયું છે કે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને જેઓ પોઝિટિવ જણાય છે તેઓએ 10 દિવસ માટે સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. છેલ્લા 15 દિવસમાં આ દેશોમાંથી રાજ્યમાં પ્રવેશનારા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકા
રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર, મહારાષ્ટ્ર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ભારત સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું આવશ્યક છે. યાત્રીઓને પણ રાજ્યમાં મુસાફરી કરવાની મંજૂરી છે જેમણે રસીના બે ડોઝ અથવા RT-PCR ટેસ્ટ 72 કલાકની અંદર કરાવ્યા છે. નિયમોનું પાલન ન કરવા બદલ દંડ પણ વસૂલવામાં આવશે.

ગુજરાત સરકારની માર્ગદર્શિકા
ગુજરાત સરકારે કેન્દ્રની ચાલુ મોનિટરિંગ સૂચિમાં સમાવિષ્ટ દેશોમાં મુસાફરી કરીને પરત ફરેલા મુસાફરો પર કડક દેખરેખ રાખવા જણાવ્યું છે. એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.  દક્ષિણ આફ્રિકાથી આવતા દરેક મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

મધ્યપ્રદેશ સરકારે જાહેર કર્યુ એલર્ટ 
તે જ સમયે, મધ્ય પ્રદેશ સરકારના આરોગ્ય પ્રધાન વિશ્વાસ સારંગે કહ્યું છે કે અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી. નવા વેરિઅન્ટ માટે હજુ સુધી કોઈ કેસ મળ્યો નથી. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. દરેકને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

દિલ્હીમાં એલજીએ બેઠક યોજી 
નવા વેરિઅન્ટ પર કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હોસ્પિટલોને પણ કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના સીએમએ પણ યોજી બેઠક
રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાજેતરમાં ઉભી થયેલી આરોગ્યની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે મુખ્ય સચિવ, ડીજીપી અને આરોગ્ય સચિવને કડક નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

Next Article