Odisha Train Accident: કોરોમંડલ અકસ્માત પર શરદ પવારની પ્રતિક્રિયા, જૂનું ઉદાહરણ આપીને રેલવે મંત્રીના રાજીનામાની માંગણી

|

Jun 04, 2023 | 7:40 PM

Coromandel Express Accident: એનસીપીના વડા શરદ પવારે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને જૂનું ઉદાહરણ આપતાં નૈતિકતાના આધારે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે. બીજેપી નેતા સુધીર મુનગંટીવારે તેમની માંગને હાસ્યાસ્પદ ગણાવી છે.

Odisha Train Accident: કોરોમંડલ અકસ્માત પર શરદ પવારની પ્રતિક્રિયા, જૂનું ઉદાહરણ આપીને રેલવે મંત્રીના રાજીનામાની માંગણી

Follow us on

Sharad Pawar: ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના NCP પ્રમુખ શરદ પવારે પણ દુ:ખનો આ પહાડ પડવાની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના સિવાય શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

શરદ પવારે કહ્યું કે આ અકસ્માતની વિગતવાર તપાસ કરવી જરૂરી છે. તો જ સત્ય બહાર આવશે. જૂનું ઉદાહરણ આપતા પવારે કહ્યું કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી રેલવે મંત્રી હતા અને તેમના કાર્યકાળ દરમિયાન બીજી ટ્રેન દુર્ઘટના થઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ તેમના રાજીનામાની વિરુદ્ધ હતા. આમ છતાં શાસ્ત્રીજીએ નૈતિકતાના આધારે રાજીનામું આપી દીધું હતું.

એ યુગ જુદો હતો, આ યુગ જુદો છે; રેલ્વે મંત્રી કોઈ બીજા હતા, રેલ્વે મંત્રી કોઈ બીજા છે

આ પછી શરદ પવારે કહ્યું કે આજની સ્થિતિ અલગ છે. એ યુગ જુદો હતો, આ યુગ જુદો છે. ત્યારે રેલ્વે મંત્રી કોઈ બીજા હતા, હવે રેલ્વે મંત્રી કોઈ બીજા છે. આજના નેતાઓએ તેમને જે યોગ્ય લાગે તે કરવું જોઈએ. પરંતુ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તેમણે નૈતિકતાના આધારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે પણ આજે આ જ વાત કહી. તેમણે કહ્યું કે પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને લાલ બહાદુર શાસ્ત્રીએ નૈતિકતાના આધારે તરત જ રાજીનામું આપી દીધું હતું. ત્રણ ટ્રેનની ટક્કરથી ઘણા લોકોના મોત થયા છે. રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ પણ વાંચો : What is Kavach: જો એન્ટિ-કોલિઝન સિસ્ટમ હોત તો અકસ્માત ન થયો હોત, જાણો શું છે આ એલર્ટ સિસ્ટમ અને કેવી રીતે કરે છે કામ

‘તપાસ રિપોર્ટને દબાવી ન દેવો જોઈએ, ઉચ્ચસ્તરીય તપાસ કરાવીને રિપોર્ટ સામે મૂકવો જોઈએ’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે ઉચ્ચ સ્તરે તેની સંપૂર્ણ વિગતવાર તપાસ થવી જોઈએ અને તપાસનો અહેવાલ છુપાવવો જોઈએ નહીં. તપાસનો રિપોર્ટ લોકોની સામે રાખવો જોઈએ.

શરદ પવારના રાજીનામાની માંગ પર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રીના રાજીનામાની માંગ હાસ્યાસ્પદ છે. કોરોના કાળમાં હજારો લોકોના મોત, અજિત પવાર નાયબ મુખ્યમંત્રી હતા, શું રાજીનામું આપ્યું?

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:09 pm, Sat, 3 June 23

Next Article