Coromandel Express Accident : 51 કલાક બાદ બાલાસોરમાં ફરી દોડતી થઈ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર, જુઓ Video

|

Jun 04, 2023 | 11:51 PM

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) ઘટના સ્થળે હાજર હતા. આજે તેમની હાજરીમાં ડાઉન લાઈન પરથી એક માલગાડી પસાર થઈ હતી. માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલવે મંત્રીએ હાથ જોડી ભગવાનનો આભાર માન્યો હતો.

Coromandel Express Accident : 51 કલાક બાદ બાલાસોરમાં ફરી દોડતી થઈ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર, જુઓ Video
Odisha Train Accident

Follow us on

Balasore :  ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.  મોટી વાત એ છે કે બાલાસોરમાં બંને ડાઉન લાઈનો શરૂ થઈ ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) ઘટના સ્થળે હાજર હતા. આજે તેમની હાજરીમાં ડાઉન લાઈન પરથી એક માલગાડી પસાર થઈ હતી. માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલવે મંત્રીએ હાથ જોડી ભગવાનનો આભાર માન્યો હતો.

દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી શનિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારથી છેલ્લા 40 થી વધુ કલાકથી ત્યાં ઉભા છે અને દરેક વસ્તુ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.બાલાસોરમાં રાહત અને બચાવની વચ્ચે તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે ટ્રેક પર બે પલટી ગયેલા કોચની વચ્ચેથી બહાર નીકળતા જોવા મળે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જ્યારે બીજી તસ્વીરમાં તે રાત્રે અકસ્માત સ્થળે બેઠા છે. ઘટનાના બે દિવસ બાદ પણ ઘણા લોકોએ બાલાસોરમાં રેલ મંત્રીની હાજરી માટે તેમના વખાણ કર્યા છે. બીજેપીના ઘણા નેતાઓએ પણ તેમની તસવીર શેર કરી છે. આજે 51 કલાક બાદ બાલાસોર રેલવે ટ્રેક ફરી થયો છે, તેની પાછળ રેલવેના કર્મચારીઓ, મજૂરો અને પદાધિકારીઓનો મોટો ફાળો છે.

આ પણ વાંચો : Odisha Train Accident: 30 કલાકથી બાલાસોરમાં ખડેપગે ઉભા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, દરેક વસ્તુઓ પર રાખી રહ્યા છે ચાંપતી નજર

51 કલાક બાદ બાલાસોરમાં ફરી શરુ થયો રેલવે ટ્રેક

 

માલસામાન ટ્રેન પસાર થયા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા અને તમામને સંપૂર્ણ તાકીદ સાથે કામ કરવાની સૂચના આપી હતી. ટીમે પણ એવું જ કર્યું. હવે બંને ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે અને અકસ્માતના 51 કલાકમાં ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Balasore Train Accident: શબઘરમાં પુત્રને શોધી રહ્યા છે પિતા, Viral Video જોઈને આંસુ આવી જશે

બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:40 pm, Sun, 4 June 23

Next Article