બિહારના સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ અહીં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે. આ સાથે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) પણ મળશે. નીતિશ કુમાર આજે એટલે કે સોમવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ સાથે નીતીશ કુમાર મંગળવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejariwal) સહિત ઘણા નેતાઓને મળશે. દિલ્હી જતા પહેલા નીતિશ કુમાર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદને મળવા પહોંચ્યા હતા. પછી તેમણે કહ્યું કે હું દિલ્હી જઈ રહ્યો છું. દિલ્હીમાં વિરોધ પક્ષોએ એક થવું પડશે. આ તમામ મુદ્દાઓને લઈને લાલુ પ્રસાદ સાથે વાતચીત થઈ છે.
બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ જ નીતિશ કુમાર વિપક્ષને એક મંચ પર લાવવાની વાત કરી રહ્યા છે. લાલુ પ્રસાદની પાર્ટી સાથે ગયા બાદ નીતીશ કુમારે કહ્યું હતું કે તેમને ઘણા લોકોના ફોન આવી રહ્યા છે. બધાએ કહ્યું કે ભાજપ છોડીને ખૂબ જ સારો નિર્ણય લીધો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વિપક્ષ એક થાય, ત્યારબાદ તેઓ વિપક્ષને એક મંચ પર લાવવાનું કામ કરશે.
અહીં બિહારમાં JDU તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર કહી રહી છે. જેડીયુએ પટનામાં નીતિશ કુમારનું પોસ્ટર લગાવ્યું છે અને લખ્યું છે કે બિહારને દેખા… અબ દેશ દેખેગા… અહીં જેડીયુની સાથે હવે આરજેડી પણ નીતિશ કુમારને પીએમ પદ માટે મજબૂત ઉમેદવાર જણાવી રહી છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે નીતીશ કુમાર પીએમ પદ માટે મજબૂત ઉમેદવાર બની શકે છે. તેમની લાંબી રાજકીય કારકિર્દી હતી. તેમની છબી દોષ રહિત છે અને અન્ય પક્ષોના નેતાઓ પણ તેમને પસંદ કરે છે.
સીએમ નીતિશ કુમારે પોતાને પીએમ પદના ઉમેદવાર તરીકે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ પદના ઉમેદવાર નથી. પરંતુ તે વિપક્ષને એક કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસો કરશે અને આ માટે તેઓ વિપક્ષી એકતાને મજબૂત કરશે. આ વિપક્ષી એકતાને મજબૂત કરવા નીતિશ કુમાર દિલ્હી ગયા છે.
Published On - 7:12 pm, Mon, 5 September 22