News9 Plus World Exclusive: મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ 30 વર્ષ પછી પણ પહોંચની બહાર, પાકિસ્તાનમાં ફરે છે ખુલ્લેઆમ

|

Mar 11, 2023 | 4:40 PM

ISIએ મુંબઈમાં અલગ અલગ બોમ્બ વિસ્ફોટો માટે દાઉદ અને તેના સાગરિતોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર છે.

News9 Plus World Exclusive: મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ 30 વર્ષ પછી પણ પહોંચની બહાર, પાકિસ્તાનમાં ફરે છે ખુલ્લેઆમ
Image Credit source: Google

Follow us on

News9 Plus Exclusive: TV9 નેટવર્કના OTT પ્લેટફોર્મ News9 Plus એ પહેલીવાર મુંબઈ 1993ના હુમલા પાછળના માસ્ટર માઇન્ડનો ખુલાસો કર્યો છે. 30 વર્ષ પહેલાં 12 માર્ચ 1993ના રોજ મુંબઈ ડઝનથી વધારે બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું હતું. આ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા અને 1400થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાઓ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની સિન્ડિકેટ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ હુમલાનો માસ્ટર માઈન્ડ કોઈ અન્ય હતો, જે હજુ પણ ફરાર છે.

બોમ્બ વિસ્ફોટોની ચાર્જશીટમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)નું નામ લખવામાં આવ્યું છે. છતાં કેન્દ્ર સરકારે ન તો હુમલામાં ISIની ગંભીર ભૂલની તપાસ કરી ન તો તેના અધિકારીઓ સામે પગલાં લીધા. આ હુમલા અંગે કેન્દ્ર દ્વારા કોઈ શ્વેતપત્ર પણ બહાર પાડવામાં આવ્યું નથી. સવાલ એ છે કે આ હુમલાનું કાવતરું કરનાર માસ્ટર માઇન્ડ કોણ હતું.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ISIએ દાઉદનો ઉપયોગ કર્યો: ભૂતપૂર્વ RAW ચીફ

ભૂતપૂર્વ RAW ચીફ વિક્રમ સૂદ જણાવ્યું કે, મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો એ ભારત માટે વિનાશક આતંકવાદનો પ્રથમ અનુભવ હતો. આવો હુમલો આપણે પહેલા જોયો નથી. તેનું નાટ્યકરણ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ કંઈક સાબિત કરવાનો હતો. આ હુમલાઓમાં પાકિસ્તાનનો હાથ હતો તે સ્પષ્ટ હતું, પરંતુ એ પણ સાચું છે કે આ હુમલાઓ અંગે કોઈને કોઈ અંદેશો નહોતો અને આ વિસ્ફોટોએ સૌને ચોંકાવી દીધા હતા. ભારત વિરુદ્ધ આ ષડયંત્ર સરહદની બીજી બાજુ બેઠેલા ISI ના માસ્ટર માઇન્ડ દ્વારા ઘડવામાં આવ્યું હતું અને આ ષડયંત્રને પાર પાડવા માટે દાઉદ અને તેના સાગરિતોનો ઉપયોગ કર્યો હતો.

ISI ચીફ જાવેદ નાસિરનો હાથ હતો

ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ અધિકારી ઓવેન એલ સિર્સે તેમના 2017ના પુસ્તક ‘પાકિસ્તાનના ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ ટોકિંગ પોઈન્ટ્સઃ કવર્ટ એક્શન એન્ડ ઈન્ટરનલ ઓપરેશન્સ’માં લખ્યું કે, મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં તત્કાલિન ISI ચીફ જાવેદ નાસિરનો હાથ હતો. તેણે લખ્યું કે, મારા મનમાં કોઈ શંકા નથી કે 1993ના મુંબઈ વિસ્ફોટનો આદેશ લેફ્ટનન્ટ જનરલ જાવેદ નાસિરે દાઉદ ઈબ્રાહિમ ગેંગને આપ્યો હતો. મને લાગે છે કે તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ આ ઓપરેશન વિશે જાણતા હતા, કારણ કે નવાઝ શરીફે જ જાવેદ નાસિરને ISIના ડાયરેક્ટર જનરલની ખુરશી પર બેસાડ્યો હતો. કોઈ અવિશ્વસનીય વ્યક્તિ સાથે મળી આવું કરવું ખુબ મુશ્કેલ હતું.

ISI જેની સાથે હોય ત્યારે પાસપોર્ટની જરૂર રહેતી નથી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમએન સિંહે ન્યૂઝ9 પ્લસને જણાવ્યું હતું કે, 1993ના બોમ્બ વિસ્ફોટોમાં પાકિસ્તાનનો હાથ સ્પષ્ટ છે. તેણે કહ્યું, અમે જે લોકોની ધરપકડ કરી છે, તેમના પરથી અમને ખબર પડી કે તેઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. તે લોકોને પહેલા મુંબઈથી દુબઈ અને ત્યાંથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ દ્વારા ઈસ્લામાબાદ લઈ જવામાં આવ્યા હતા. તેને પાકિસ્તાન આર્મી દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને હથિયારો પણ આપવામાં આવ્યા હતા અને તેમને આશ્રય આપ્યો હતો. પાકિસ્તાનમાં ઉતરતી વખતે આમાંથી કોઈની પણ તપાસ કરવામાં આવી ન હતી. ઈમિગ્રેશન અને સિક્યોરિટીમાં પણ તેને રોકવામાં આવ્યો ન હતા અને જ્યારે ISI તેની સાથે હોય ત્યારે પાસપોર્ટની જરૂર રહેતી નથી.

આ હુમલા લાંબા આયોજિત કાવતરાનો ભાગ હતાઃ પ્રેમ મહાદેવન

સુરક્ષા નિષ્ણાતોએ આ હુમલાને ભારત વિરુદ્ધ યુદ્ધ જેવી કાર્યવાહી ગણાવી હતી. સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં સેન્ટર ફોર સિક્યોરિટી સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક ડૉ. પ્રેમ મહાદેવને જણાવ્યું હતું કે, ભારતીય શહેરો પર હુમલો કરવાના મોટા ષડયંત્રનો આ માત્ર એક ભાગ હતો. લોકો 26/11ના હુમલાને ભારત વિરુદ્ધ યુદ્ધના કૃત્ય તરીકે વાત કરે છે. આ ભારતને હચમચાવી નાખવા અને અસ્થિર કરવાના લાંબા સમયથી ચાલતા ષડયંત્રનો સંપૂર્ણપણે એક ભાગ હતો.

એશિયામાં જેહાદી ગતિવિધિઓનું સમર્થન

તેમણે કહ્યું કે, જનરલ નાસિર તેમના વૈચારિક વલણને કારણે એક કાર્યકર જનરલ તરીકે જોવામાં આવતા હતા. મધ્ય એશિયામાં જેહાદી ગતિવિધિઓનું સમર્થન કરવામાં પણ નાસીરનું નામ સામે આવ્યું હતું. તેનું કનેક્શન એલટીટીઈ સાથે પણ જોડાયેલું હતું. તેમનું નામ મ્યાનમારના વિદ્રોહ સાથે પણ જોડાયેલું હતું. કોઈ પણ ઈન્ટેલિજન્સ ચીફ ઉપરથી આદેશ ન હોય ત્યાં સુધી આવું નહીં કરે.

નાસિર 30 વર્ષ પછી પણ પહોંચની બહાર

જનરલ નાસિરના વર્તનથી હતાશ થઈને અમેરિકાના દક્ષિણ એશિયા માટેના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટીના બી. 1992માં રોકાએ પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપતા શંકાસ્પદ દેશોની નિયંત્રણ યાદીમાં મૂકવાની વાત કરી હતી. જો કે જનરલ નાસિરને 1993માં બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે મુંબઈ સિરિયલ બ્લાસ્ટના 30 વર્ષ બાદ પણ તેઓ પકડની બહાર છે. યુએનના પ્રતિબંધો હોવા છતાં, તેણે 90 ના દાયકામાં બોસ્નિયન મુસ્લિમોને એસોલ્ટ રાઇફલ્સ અને ટેન્ક વિરોધી હથિયારો પૂરા પાડ્યા હતા. 2011માં, પાકિસ્તાન સરકારે જનરલ નાસિરને પ્રત્યાર્પણ કરવાના હેગ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. હવે 87 વર્ષના જનરલ નાસિર તબલીગી જમાતનો મૌલવી છે અને 1986થી જમાત સાથે જોડાયેલો છે.

ભારતે હવે શું કરવું જોઈએ?

આજે, 30 વર્ષ પછી પણ ભારતે શું કરવું જોઈએ જેથી કરીને આ ગુનેગારને તેનો અંત લાવી શકાય? આ પ્રશ્નના જવાબમાં ઓવેન એલ સિરર્સ લખે છે, તે ઈસ્લામિક ઉગ્રવાદી દૃષ્ટિકોણનો સમર્થક છે અને હું શ્વેતપત્રનો સમર્થક છું. તમારો એક કેસ તૈયાર કરો અને તેને શ્વેતપત્ર દ્વારા વિવિધ ફોરમ પર પ્રસારિત કરો. અમેરિકા સાથેના રાજદ્વારી વ્યવહાર દરમિયાન પણ, વિવિધ દેશો સાથેની તમારી વાતચીતમાં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિશે ભાર દઈને વાત કરો અને પછી આ શ્વેતપત્રને યુએનમાં લઈ જાઓ.

Next Article