નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા પહોંચ્યા ભારત, આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી રીતે છે ખાસ

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા શુક્રવારે ત્રણ દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ દેઉબાની આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી રીતે ખાસ માનવામાં આવી રહિ છે.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા પહોંચ્યા ભારત, આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી રીતે છે ખાસ
| Edited By: | Updated on: Apr 01, 2022 | 4:15 PM

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (Nepal PM Sher Bahadur Deuba) શુક્રવારે ત્રણ દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ દેઉબાની આ ત્રણ દિવસીય મુલાકાત ઘણી રીતે ખાસ માનવામાં આવી રહિ છે. જુલાઈ 2021માં પીએમ બન્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. આ મુલાકાત બંને પક્ષો વચ્ચે વિકાસ અને આર્થિક ભાગીદારી, વેપાર, પાવર, કનેક્ટિવિટી અને અન્ય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા કરશે. જણાવી દઈએ કે, શેર બહાદુર દેઉબા પાંચમી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેઉબા તેમની દિલ્હી મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.

આ પ્રવાસમાં નેપાળના પીએમ દેઉબા, તેમની પત્ની આરઝૂ દેઉબા, ચાર કેબિનેટ મંત્રીઓ, સરકારી સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત કુલ 50 લોકો સામેલ છે. ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેઉબાના પ્રતિનિધિમંડળના સભ્યોના નામની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં વિદેશ પ્રધાન ડૉ. નારાયણ ખડકા, ઊર્જા, જળ સંસાધન અને સિંચાઈ પ્રધાન પમ્ફા ભુસાલ, આરોગ્ય અને વસ્તી પ્રધાન બિરોદ ખાટીવાડા, કૃષિ અને પશુ બાબતોના પ્રધાન મહેન્દ્ર રાયનો સમાવેશ થાય છે.

નેપાળી પીએમ દેઉબા વારાણસી પણ જશે

દેઉબાની ત્રણ દિવસીય મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના બહુપક્ષીય, જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરશે. દેઉબા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળશે. વડાપ્રધાન મોદી વડાપ્રધાન દેઉબા માટે લંચનું આયોજન કરશે. દેઉબા નવી દિલ્હીમાં ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. દેઉબા નેપાળ પાછા ફરતા પહેલા 3 એપ્રિલે વારાણસી (કાશી) જશે.

આ પણ વાંચો: Career in Event Management: આ ક્ષેત્રમાં તક અને કમાણીની કોઈ મર્યાદા નથી, જાણો કોર્સ અને કારકિર્દીની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત

Follow Us