Chandrayaan 2ની નિષ્ફળતા પર જેણે વહાવ્યા હતા આંસુ, Chandrayaan 3ની સફળતા પર ઈસરોના તે પૂર્વ અધ્યક્ષે શું કહ્યું ?

Chandrayaan 3 Updates : 23 ઓગસ્ટ 2023 ના રોજ તમામ દેશવાસીઓ સાથે Kailasavadivoo Sivan માટે પણ ખૂબ જ ખાસ હતો. ISROના ભૂતપૂર્વ વડા કે સિવને ISROના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ ઉતરાણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Chandrayaan 2ની નિષ્ફળતા પર જેણે વહાવ્યા હતા આંસુ, Chandrayaan 3ની સફળતા પર ઈસરોના તે પૂર્વ અધ્યક્ષે શું કહ્યું ?
| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:43 PM

ISRO :  7 સપ્ટેમ્બર, 2019 નો દિવસ, જ્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના તત્કાલીન વડા કે. સિવાનની અધ્યક્ષતામાં કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ચંદ્રયાન-2 સફળ થઈ શક્યુ ન હતુ. ઈસરોની આ નિષ્ફળતા સમયે ભારતીયો નિરાશ થયા હતા. પણ જ્યારે Kailasavadivoo Sivan, વડાપ્રધાન મોદીની સામે રડી પડયા હતા. ત્યારે તમામ દેશવાસીઓની આંખો ભીની થઈ હતી. પણ આજે લગભગ 4 વર્ષ બાદ Sivanના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

ચંદ્રયાન-3 ની સફળતા પર ખુશી વ્યક્ત કરતા, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષે પણ કાર્યક્રમને સમર્થન આપવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ માત્ર ઈસરોની જ નહીં પરંતુ સમગ્ર દેશની સફળતા છે. આજે ચંદ્રયાન 3ની સફળતા સાથે Kailasavadivoo Sivanના હાલના અને 2019ના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

7 સપ્ટેમ્બર, 2019એ અધૂરુ રહ્યુ હતુ ચંદ્ર પર પહોંચવાનું સ્વપ્ન

 

3 વર્ષ 11 મહિના 16 દિવસ બાદ પૂરુ થયુ અધૂરુ સ્વપ્ન

 


ઈસરોના પૂર્વ અધ્યક્ષે કહ્યું- નવી શોધો પૂર્ણ થશે

ઐતિહાસિક ક્ષણના આ શુભ અવસર પર ઈસરોના પૂર્વ અધ્યક્ષે એક મોટી વાત કહી કે ચંદ્રયાન-3નો સાયન્સ ડેટા માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક વૈજ્ઞાનિકો માટે એટલે કે સમગ્ર વિશ્વ માટે હશે. તેમણે કહ્યું કે આ ડેટાનો ઉપયોગ વિશ્વભરના વૈજ્ઞાનિકો કરશે અને તેમાંથી નવી શોધ કરવામાં આવશે.

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો