Nasal Vaccine : જાણો અન્ય વેક્સિનથી કઈ રીતે અલગ છે નેઝલ વેક્સિન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ

Nasal Vaccine : સમગ્ર દેશમાં કોરોનાં સંક્રમણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાંનું સંક્રમણ રોકવા માટે એકમાત્ર હથિયાર વેક્સિન જ છે. હાલ સરકાર પણ વેક્સિનેસન અભિયાનને (Vaccination Campaign)વેગ આપવા માટે પ્રયત્ન કરી રહી છે.

Nasal Vaccine : જાણો અન્ય વેક્સિનથી કઈ રીતે અલગ છે નેઝલ વેક્સિન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ
Nasal Vaccine
| Edited By: | Updated on: Jun 08, 2021 | 6:26 PM

Nasal Vaccine : સમગ્ર દેશમાં કોરોનાં સંક્રમણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાંનું સંક્રમણ રોકવા માટે એકમાત્ર હથિયાર વેક્સિન જ છે. હાલ સરકાર પણ વેક્સિનેસન અભિયાનને (Vaccination Campaign) વેગ આપવા માટે પ્રયત્ન કરી રહી છે. હાલ દેશમાં કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન (Covaxin) નામની બે વેક્સિન આપવામાં આવી રહી છે અને અન્ય વેક્સિનોનું ટ્રાયલ (Trial) પણ શરૂ છે.

નેઝલ વેક્સિન

ઈન્જેક્શનને બદલે કોરોના રસીને નેઝલ સ્વરૂપમાં વિકસાવવા માટે હાલ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, કોરોના રસીને લઈને હાલ ઘણા પ્રયોગો ચાલી રહ્યા છે. જેમાં નેઝલ રસી અંગે પણ સંશોધન (Research) કરવામાં આવી રહ્યું છે. નેઝલ વેક્સિનમાં ઈંન્જેકશન (Injection) આપવાને બદલે તે નાકમાં આપવામાં આવશે. જો પરીક્ષણ સફળ (Sucess) થશે, તો રસીકરણના અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.

કેવી રીતે કામ કરશે નેઝલ વેક્સિન

નેઝલ વેક્સિનમાં ઈન્જેક્શનને બદલે તેને નાકમાં આપવામાં આવશે,  તે નાકના આંતરિક ભાગોમાં રોગ પ્રતિકારક શક્તિ બનાવે છે અને તેને ઈંઝક્શનથી વધુ અસરકારક પણ માનવામાં આવે છે.

મુખ્યત્વે, કોરોના સહિત મોટાભાગના વાયરસથી (Virus) થતા રોગોનું મૂળ નાક છે અને તેના આંતરિક ભાગોમાં રોગ પ્રતિકારક (Immunity) શક્તિ વધારવા માટે નેઝલ વેક્સિન અસરકારક સાબિત થશે.

ભારત બાયોટેક દ્વારા નેઝલ વેક્સિનનું પરીક્ષણ

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલની નિષ્ણાત સમિતિએ હૈદરાબાદ (Hyderabad) સ્થિત ભારત બાયોટેક કંપની (Biotech) દ્વારા નેઝલ વેક્સિનના પ્રથમ તબક્કાના (First Phase) ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. હાલ, આ પરીક્ષણ પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવશે.

સમિતિ દ્વારા નેઝલ વેક્સિનનાં પરિણામો અને સમીક્ષા કર્યા પછી જ, પરીક્ષણના આગલા તબક્કાની મંજૂરી આપવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ રસીનું પરીક્ષણ દેશના ચાર રાજ્યોમાં કરવામાં આવશે. જેમાં મહારાષ્ટ્ર, બિહાર, તામિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ છે કે,ભારતમાં હજુ સુધી નેઝલ વેક્સિન ઉપલબ્ધ નથી, પરંતુ અમેરિકા જેવા દેશોમાં ઈન્ફલ્યુએન્ઝા અને નાક ફ્લૂ માટેની નેઝલ વેક્સિન બજારમાં ઉપલબ્ધ છે.