પૂરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ, લોકોએ સેનાના જવાનોની બહાદુરીને સલામ કર્યા, જુઓ વિડીયો

|

Oct 19, 2021 | 9:12 PM

Uttarakhand Rain: છેલ્લા બે દિવસના સતત વરસાદ બાદ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં તારાજી સર્જાઈ છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને તળાવો ઉભરાઈ રહ્યા છે.

પૂરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ, લોકોએ સેનાના જવાનોની બહાદુરીને સલામ કર્યા, જુઓ વિડીયો
Nainital flood: Extraordinary effort by Indian Army to save people, video goes viral on social media

Follow us on

UTTARAKHAND : ઉત્તરાખંડમાં 72 કલાક સુધી સતત વરસાદ (Heavy Rain) ના કારણે ભારે તબાહી સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર આને લગતી ઘણી તસવીરો અને ડરામણા વીડિયો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવતી વખતે સેનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સેનાના જવાનોએ માનવસાંકળ બનાવીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો પૂર વચ્ચે, નૈનીતાલ(Nainital)માં સેનાના જવાનો માનવસાંકળ બનાવીને લોકોને મદદ કરી રહ્યા છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે જોનારાઓ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે. પરંતુ ભારતીય સેના (Indian Army) ના જવાનો ત્યાં ખંતથી ઉભા છે અને લોકોની મદદ કરી રહ્યા છે. જુઓ દિલધડક રેસ્ક્યુનો આ વિડીયો –

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ બહાદુરોને સલામ.’ આ સમાચાર લખવા સુધી આ વિડીયો 93 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ સૈનિકોની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “આ આપણા દેશના અસલી હીરો છે.”

જ્યારે અન્ય યુઝરે લખ્યું, “સેનાના જવાનો છે તો આપણે છીએ, સેનાના જવાનો છે ત્યાં સુધી આપણે જીવનમાં કોઈપણ આફતથી ડરવાની જરૂર નથી.”

બે દિવસના સતત વરસાદ બાદ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં તારાજી સર્જાઈ છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને તળાવો ઉભરાઈ રહ્યા છે, જ્યારે ભૂસ્ખલનનાં સમાચાર પણ ઘણી જગ્યાએથી સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નૈનીતાલથી જે તસવીરો સામે આવી છે તે ડરાવનારી છે.

આ પણ વાંચો : Uttarakhand Rain: લેમન ટ્રી રિસોર્ટમાંથી 200 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા, ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત

આ પણ વાંચો : PM MODI આવતીકાલે વિશ્વના ઓયલ અને ગેસ સેકટરના CEO સાથે વાતચીત કરશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Published On - 6:01 pm, Tue, 19 October 21

Next Article