કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ

કોરોના વાઈરસના સંક્રમણને લઈ 56,000થી વધારે એવા ભારતીય પ્રવાસી ઓમાનને છોડીને ચાલ્યા ગયા છે. જે વર્ષોથી ઓમાનમાં રહેતા હતા. કોરોનાની અસર સીધી તેમના રોજગાર પર પડી છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ઓમાનમાં ભારતીય દૂતાવાસના સચિવ અનુજ સ્વરૂપે […]

કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:46 PM

કોરોના વાઈરસના સંક્રમણને લઈ 56,000થી વધારે એવા ભારતીય પ્રવાસી ઓમાનને છોડીને ચાલ્યા ગયા છે. જે વર્ષોથી ઓમાનમાં રહેતા હતા. કોરોનાની અસર સીધી તેમના રોજગાર પર પડી છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો.

ફાઈલ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓમાનમાં ભારતીય દૂતાવાસના સચિવ અનુજ સ્વરૂપે જણાવ્યું કે 9 મેથી ખાડી દેશમાં શરૂ થયેલા વંદે ભારત મિશન હેઠળ અત્યારે કુલ 105 ફ્લાઈટ્સને ઓપરેટ કરવામાં આવ્યા, જેનાથી 18,000થી વધારે ભારતીય નાગરિક દેશમાં પરત આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સચિવ અનુજ સ્વરૂપે વધુમાં કહ્યું કે આ સિવાય સામાજિક સંગઠનો અને અલગ-અલગ અન્ય સંગઠનોની 216 ચાર્ટર ફ્લાઈટસ દ્વારા 38,000થી વધારે ભારતીય નાગરિક દેશમાં પરત આવ્યા છે. હવે આપણે વંદે ભારત મિશનના પાંચમાં તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે. ઓગસ્ટની શરૂઆતીમાં ભારતના અલગ-અલગ રાજ્યો માટે કુલ 19 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે. દૂતાવાસને મળેલા રજીસ્ટ્રેશન મુજબ ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે અને અમે ભારતીય નાગરિકોને મુસાફરોને સુવિધા આપવાની ચાલુ રાખીશું.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:22 pm, Mon, 3 August 20