Manipur: રાહુલ ગાંધીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, કહ્યું- મણિપુરમાં શાંતિની જરૂર, રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ

|

Jun 30, 2023 | 6:14 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં.

Manipur: રાહુલ ગાંધીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, કહ્યું- મણિપુરમાં શાંતિની જરૂર, રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ
Rahul Gandhi Manipur Visit

Follow us on

Imphal: મણિપુરમાં હિંસા (Manipur Violence) ફાટી નીકળ્યાને બે મહિના વીતી ગયા છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં હિંસાથી પ્રભાવિત હજારો લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) મણિપુરની બે દિવસની મુલાકાતે છે અને આજે બીજા દિવસે તેમણે મોઇરાંગમાં ઘણી રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાથી પ્રભાવિત લોકોને પણ મળ્યા હતા.

હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં રાહત શિબિરમાં સુધારો કરવાની જરૂર છે, ખોરાક અને દવાઓની અછત છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

 

 

રાહુલ ગાંધીએ રાહત શિબિરોની મુલાકાત લીધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મોઇરાંગમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ આજે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાહત શિબિરોની મુલાકાત લેશે અને હિંસાથી પ્રભાવિત લોકોને મળશે. આ પછી તે રાજધાની ઇમ્ફાલ પરત ફરશે. ઇમ્ફાલમાં રાહુલ ગાંધી 10 સમાન વિચારધારા ધરાવતા પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)ના નેતાઓ અને સિવિલ સોસાયટીના સભ્યોને મળશે.

ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી

આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. તેએઓ ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જે રાજ્યમાં બે મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક છે.

આ પણ વાંચો : Uttarkashi: જોશીમઠ બાદ હવે ઉત્તરકાશીમાં ખતરો, મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી

ચુરાચંદપુરમાં રાહત શિબિરોમાં રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ગઈકાલે ભારે હોબાળો થયો હતો. ગઈકાલે, જ્યારે કોંગ્રેસ નેતા તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસે તેમને બિષ્ણુપુરમાં અધવચ્ચે અટકાવ્યા હતા. જેના કારણે કોંગ્રેસના કાર્યકરોએ પણ હોબાળો મચાવ્યો હતો. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો